SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ – ૧૩ બીજો મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 - 267 ૭મું અધ્યયન “નાલંદીય' નામનું છે. રાજગૃહીનો નાલંદા પાડામાં બનેલી ઘટનાનું આમાં વર્ણન છે. નાલંદાની વિદ્યાપીઠ તો પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ હતી. તે નાલંદા પાડામાં ભગવાન શ્રી મહાવીરદેવના પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામી અને ભગવાન પાર્શ્વનાથના શિષ્યો આચાર્ય ઉદય ને પેઢાલ : આ બન્નેનો સંવાદ થયો હતો. એ એક સંક્રમણ કાળ હતો, પ્રભુ પાર્શ્વનાથથી પ્રભુ મહાવીર સુધીનો ૨૫૦ વર્ષનો ગાળો એ બંને તીર્થકરોના નિર્વાણ વચ્ચેનો સમય હતો. તેમાં ૨૨૦ વર્ષ સુધીનો કાળ એ પાર્શ્વનાથ ભગવાનના શાસનનો કાળ હતો. ત્યારપછીનો કાળ એ શાસન સંક્રમણનો ગાળો કહી શકાય. - શ્રી પાર્શ્વનાથ પ્રભુનો આચાર માર્ગ અલગ હતો. એ સમયના જીવો ઋજુ અને પ્રાજ્ઞ હતા. તેથી તેમના આચારોમાં ઘણી વિવિધતાઓ અને પહેલી નજરે દેખાતી છૂટછાટો હતી. મહાવ્રતો ચાર જ હતાં. એટલે પાંચમું ન હતું એમ નહિ. પણ ચારમાં પાંચે પાંચ સમાઈ જતાં. બોલવાનાં નામ ચાર હતાં. પણ એ ચારનું અર્થઘટન એવું થતું કે એનાથી પાંચેયનું અણિશુદ્ધ પાલન કરવાનું રહેતું. એ શાસનના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી જાણતા હતા કે, સ્ત્રીના સ્વીકાર વગર ભોગ ન થાય. અબ્રહ્મ સેવતાં પહેલાં એટલા સમય પૂરતો પણ સ્ત્રીનો સ્વીકાર કરવો અનિવાર્ય હોય છે, એ વિના સ્ત્રીભોગ શી રીતે થઈ શકે, એટલે એટલા સમય પૂરતા સ્ત્રીના સ્વીકારને પણ તેઓ પરિગ્રહ ગણતા અને એ રીતે કરાતા સ્ત્રીના પરિગ્રહથી પરિગ્રહ ત્યાગનું મહાવ્રત ગયું, એમ તેઓ માનતા. આ રીતે તેઓ સ્ત્રીને પણ દ્વિપદરૂપ પરિગ્રહ માનતા હતા. તેથી તેમનો “ચતુર્યામ ધર્મ કહેવાતો. એમને વસ્ત્રો રંગબેરંગી પણ હોય. એક જ સ્થાને વર્ષો સુધી રહી શકે. આ બધુ વર્ણન પર્યુષણમાં કલ્પધરના દિવસે આપણે સાંભળીએ છીએ. આવી રીતે ભગવાન પાર્શ્વનાથનું શાસન ચાલતું હતું અને તેમની પરંપરામાં થયેલા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘની શ્રદ્ધાભક્તિ-સમર્પણ મુખ્યપણે ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે જ હોય તે સ્વાભાવિક છે. પરંતુ નિયમ છે – નવા તીર્થંકર પરમાત્મા થાય, તેઓ તીર્થની સ્થાપના કરે, એટલે જૂના તીર્થંકર પરમાત્માના સાધુઓ જેમ જેમ નવા તીર્થંકરના સંઘના પરિચયમાં આવતા જાય, તેમ તેમ નવા તીર્થંકર પરમાત્માના શાસનમાં દાખલ થતા જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy