SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! ત્યાંથી આર્યદેશમાં આવવા પ્રયત્નો શરૂ થયા. રાજાને ખબર પડી. એના ૫૨ ચોકી-૫હે૨ો મૂકાયો. હોંશિયારીથી ચોકી વટાવી માંડ માંડ આર્યદેશમાં આવ્યા. ભગવાનશ્રી મહાવીરદેવના ચરણે જવા નીકળ્યા. ત્યાં માર્ગમાં પ્રથમ એમને ગોશાળો મળ્યો. ત્યાર પછી બૌદ્ધો, તાપસો, બ્રાહ્મણો, દંડિકો વગેરે મળ્યા અને છેલ્લે હસ્તિપાક તાપસો પણ મળ્યા. એ લોકોએ તેને કહ્યું કે, ‘સાચી જીવદયા તો અમારે ત્યાં છે. મહાવીરને ત્યાં જીવદયા ક્યાં છે ? તમારા મહાવીર કહે છે કે અનાજના એક-એક કણીએ-કણીએ જીવો છે, તો એક રોટલી બનાવવા કેટલા જીવોની હિંસા કરવી પડે ? અને અમારે ત્યાં મરેલા કે મરાયેલા એક હાથીને પકાવીને ખાઈએ એટલે ૫૦૦નું પેટ ભરાઈ જાય. ઓછામાં ઓછી હિંસા કરનારા તો અમે જ છીએ’ એમ તે કહેતા. આવા પણ મત હતા. ૨૭૭ ૧ . એ બધાએ તેમને હ્યું કે, ‘તમારે ધર્મ જોઈએ તો એ માટે ભગવાન મહાવીર પાસે જવાની કોઈ જરૂર નથી. સાચો ધર્મ તો અમારી પાસે જ છે. મહાવીર પાસે તો કશું નથી.’ એ બધા સાથે આર્દ્રકુમા૨નો વાદ થયો હતો. તેમાં તેમણે પ્રબલ યુક્તિઓ આપી તેમને નિરસ કર્યા હતા. તેની અહીં વાત કરી છે. Jain Education International 266 આ દરમ્યાન આર્દ્રકુમાર મુનિને માર્ગમાં ગોશાળો પણ મળ્યો. ત્યારે તેમને ગોશાળાએ કહ્યું કે – ‘તેં મહાવીરને જોયા છે ? સાંભળ ! મેં મહાવી૨ને બરાબર જોયા છે. હું એમનો પહેલો શિષ્ય હતો. એમની સાથે હું ઘણું રહ્યો છું. એ વખતના મહાવીર જુદા હતા અને આજના મહાવીર જુદા છે. તે વખતના મહાવીર તપસ્વી હતા, ત્યાગી હતા. આખો દિવસ ધ્યાન કરનારા હતા, એકાંતમાં રહેનારા હતા. જ્યારે આજના મહાવીરને એકાંત ફાવતું નથી, ટોળાં વગર એમને ચેન પડતું નથી. એથી એ લોકોનાં ટોળાં ભેગા કરે છે અને આખો દિવસ એ બધાની નિંદા કર્યા કરે છે. એમની પાસે જઈને તને શું મળશે ?' ગોશાળાએ કહેલી એક એક વાતોનો જવાબ આર્દ્રકુમારે આપ્યો છે, તે સંવાદ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યો છે. જેમ ગોશાળા સાથે સંવાદ થયો છે, તેમ બૌદ્ધો સાથે, તાપસો સાથે, બ્રાહ્મણો સાથે, ડિકો સાથે અને છેલ્લે હસ્તિપાક તાપસો સાથે તેમના જે જે સંવાદો થયા હતા, ચર્ચા થઈ હતી, તે બધા સંવાદોચર્ચાઓ અહીં આપવામાં આવેલ છે. આ બધાને વટાવીને આર્દ્રકુમાર કેવી રીતે ભગવાન શ્રીમહાવીરદેવના ચરણે પહોંચ્યા તેનું હૂબહૂ વર્ણન આમાં કરવામાં આવ્યું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy