SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! ગોશાળાનો ! કોઈ પણ કાર્ય પાંચ સમવાયિક કારણ વગર થતું નથી, તેમાં કાળ પણ આવે, સ્વભાવ પણ આવે, ભવિતવ્યતા પણ આવે, કર્મ પણ આવે અને પુરુષાર્થ પણ આવે. પણ ગોશાળો માનતો કે ના, એક ભવિતવ્યતા જ કારણ છે. જે થવાનું હોય તે જ થાય. ભવિતવ્યતા કહો કે નિયતિ કહો એક જ છે. એ મતનું ખંડન કરી પાંચે કારણોની પોતપોતાની જરૂર અંગે અહીં કહેવાયું છે. ૨૩૨ ૧ આ ત્રણ મતોનું વર્ણન કર્યા પછી આત્મહિતની પ્રવૃત્તિ કઈ રીતે થાય ? તેનો જવાબ આપતાં કહ્યું કે, સાધુપણું પામીને પળાય તો જ આત્મહિત થાય. સાધુપણું પણ નિર્દોષ આહાર-પાણી ઉપર જીવાય તો પળાય. તેના માટે જે-જે આવશ્યકતાઓ ઉભી થાય, તેમાં સાધુપણાની ચર્યા કેવી હોય ? તે કહી સાધુઓની દિનચર્યા આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. - રજું ‘ક્રિયાસ્થાન’ નામનું અધ્યયન છે. તેમાં ક્રિયાનાં તેર સ્થાનો બતાવવામાં આવ્યાં છે. આ તેર ક્રિયાસ્થાનો નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવો એમ ચારે ગતિના જીવોને હોઈ શકે છે. તેર ક્રિયાસ્થાનોનાં નામો આ મુજબ વર્ણવવામાં આવ્યાં છે. ૧ - અર્થદંડ, ૨ અનર્થદંડ, ૩ હિંસાદંડ, ૪ અકર્મદંડ, દૃષ્ટિવિપર્યાસદંડ, ૬ - મૃષાવૃત્તિદંડ, ૭ - અદત્તાદાનવૃત્તિદંડ, ८ અધ્યાત્મદંડ, ૯ માનદંડ, ૧૦ મિત્રદોષદંડ, ૧૧ માયાદંડ, ૧૨ લોભદંડ અને ૧૩ ઈર્યાપથિકીદંડ. આ પ્રકારની જુદી જુદી તેર પ્રકારની ક્રિયા સંભવતી હોવાથી તેના તેર પ્રકાર છે. આ ક્રિયાથી આત્મા કર્મરૂપી દંડથી દંડાય છે. માટે તેને દંડ તરીકે પણ ઓળખવામાં આવી છે. Jain Education International - 262 = તેની સાથોસાથ જેને પાપશાસ્ત્રો કહેવાય, તેનું પણ વર્ણન કર્યું છે. કહ્યું છે કે, આ પાપશાસ્ત્રો માત્ર સુયોગ્ય વ્યક્તિએ જ જાણવા જેવાં છે. બધા માટે એ ઉપાદેય નથી. ભૌમશાસ્ત્ર કે જેમાં આખું ભૂસ્તર વિજ્ઞાન આવે, પૃથ્વીની અંદરની પરિસ્થિતિ આવે, ભૂકંપનાં કારણો, ક્યાં પાણી હોય અને ક્યાં પાણી ન હોય - ધાતુઓ-વૃક્ષો વગેરેનું વર્ણન આવે. ત્યારબાદ ઉત્પાતવિદ્યા : વીજળી કેવા કેવા રંગની હોય ? વીજળી અમુક રંગની થાય તો પરિણામ શું આવે ? તારો ખરે તો પરિણામ શું આવે ? ત્યારબાદ સ્વપ્નવિદ્યા (શાસ્ત્ર) : સ્વપ્ન ક્યારે આવે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy