SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ - ૧૩ બીજો મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 – 261 ભણેલા રજૂઆત જુદી જુદી કરે, પણ માને તો એક જ. અમને કહે, આત્મા હોય તો બતાવો? બધી વસ્તુ બતાવી શકાય તેવી નથી હોતી, પણ અમારે તેને તેની જ ભાષામાં સમજાવવું પડે. અમે તેને કહીએ કે, “તમે તો બહુ બુદ્ધિમાન છો,” કેમ ?' એટલે એ થોડો ટાઈટ થાય, પછી અમે કહીએ “તારામાં અક્કલ છે ? અક્કલ હોય તો કાઢીને બતાવ ! એટલે અમને કહે, “એ કાંઈ બતાવવાની વસ્તુ નથી.” તો આત્મા પણ બતાવવાની વસ્તુ નથી. અક્કલ અનુભવથી જણાય તેમ આત્મા પણ અનુભવથી જણાય. અક્કલ છે માટે તું બોલી શકે છે, તેમ આત્મા છે માટે તારું આ શરીર ચાલી શકે છે. અહીં તો તમને સમજાય તેવી ભાષામાં વાત કરું છું. આમાં તો ભલભલા ચક્કર ખાઈ જાય તેવી ચર્ચાઓ કરવામાં આવી છે. બીજો એવો પણ મત છે કે, જે માને કે, પંચભૂત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ - આ પાંચ ભૂત સિવાય દુનિયામાં બીજું કાંઈ નથી. નથી પુણ્ય, નથી પાપ, નથી પરલોક, નથી મોક્ષ - આ ભૂત સિવાય બીજી કોઈ ચીજ નથી. જે ભૂતડા વળગે તે ભૂત જુદાં. એ ભૂતની આ વાત નથી. પંચભૂતવાદ નામના મતની આ વાત છે. તેની માન્યતાઓ રજૂ કરીને તે મત પણ કઈ રીતે ખોટા છે, તે વાત બરાબર સમજાવવામાં આવી છે. ત્રીજો એક મત એવો પણ છે, જે એમ માને છે કે, આ બધું સર્જન ઈશ્વરે કર્યું છે. એનું નામ છે ઈશ્વરકર્તુત્વવાદ. એ માને કે, ઈશ્વર એકલો હતો. તેને થયું, હું એકલો શું કરું? મુંઝાઈ ગયો? તે મુંઝારો દૂર કરવા માટે ઈશ્વરે વિચાર્યું કે, “ોડ૬ વ૬ ચામ:' અને એમાંથી એણે વિશ્વનું સર્જન કર્યું. તેમ માનનારને પૂછીએ કે, એ પૂર્વે એ ઈશ્વર હતો ક્યાં ? વિશ્વ જ ન હતું તો ક્યાં હતો ? આ વિશ્વ શેનામાંથી બનાવ્યું? વિશ્વ બનાવવા કાંઈક રો-મટિરિયલ તો જોઈએ ને? એના વગર કેવી રીતે બને ? વિશ્વ ન હતું તો એ રો-મટિરિયલ પણ ક્યાં હતું ? આવી ચર્ચાથી તો ગ્રંથોના ગ્રંથો બની જાય. ઈશ્વરકર્તુત્વવાદ કેવો ખોટો નબળો, વાહિયાત અને કાલ્પનિક છે તેનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. ચોથો નિયતિવાદ છે તે એમ માને કે, જે થવાનું હોય તે જ થાય ! તમે કલ્પસૂત્ર સાંભળ્યું છે ? તેમાં આ મતનું વર્ણન આવે છે. એ મત tત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy