SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ – ૧૩ બીજી મહાઅધ્યયન' શ્રુતસ્કંધન મિતાક્ષરી પરિચય - 13 - 263 તે ફળ આપે ? ક્યારે ન આપે ? ક્યારે આવે તો ક્યારે ફળ આપે ? કયું સ્વપ્ન સાર્થક કહેવાય ? અને કયું સ્વપ્ન નિરર્થક કહેવાય ! વગેરે બાબતો આ અધ્યયનમાં બતાવીને એનાં હેય-યનો વિવેક કરવામાં આવ્યો છે. આઠ પ્રકારના નિમિત્તશાસ્ત્રોના સૂત્ર, અર્થ અને તદુભયથી ચોવીશ પ્રકાર થાય છે. ત્યારબાદ ગંધર્વ, નાટ્ય, વાસ્તુ, આયુર્વેદ અને ધનુર્વેદ આ પાંચ પ્રકારો ઉમેરવાથી કુલ-૨૯ પ્રકારનાં પાપશાસ્ત્રો થાય છે. દુઃખગર્ભિત વૈરાગીને પાપશાસ્ત્રો ભણવાં ગમે : સભા: શરૂઆતમાં ભગવાન આદિનાથે પુરુષની ૭૨ કળાઓ, સ્ત્રીઓની ૬૪ કળાઓ અને 100 પ્રકારનાં શિલ્ય બતાવ્યા છે ને ?તો આપશ્રી આ બધાને પાપશાસ્ત્રો શા માટે કહો છો ? પ્રશ્ન સારો છે. જો હું કહેતો હોત તો ખરેખર ગુનેગાર હતો, પણ ખુદ ભગવાન આદિનાથે જ તેને પાપશાસ્ત્રો કહ્યાં છે. યુગલિક કાળ પૂરો થયો અને પ્રથમ તીર્થકરનો ગૃહસ્થપણાનો એ કલ્પઆચાર હતો કે, મહાઅનર્થને ટાળવા વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ કરે. જ્યારે પરમાત્માએ દીક્ષા લીધી – સાધનાનો પ્રારંભ કર્યો અને ક્રમે કરીને કેવળજ્ઞાન પામ્યા, ત્યારે તેમણે જ આ બધાને પાપશાસ્ત્રો કહ્યાં છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મસાર નામના ગ્રંથમાં ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવ્યા છે દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. જે દુઃખગર્ભિત વૈરાગ્યથી અહીં આવ્યા છે, જેને ગીતાર્થની નિશ્રા ખપતી નથી, તેમને ધર્મશાસ્ત્રો-આગમશાસ્ત્રો, અધ્યાત્મનાં, યોગનાં, આત્મપરિણતિનાં શાસ્ત્રોમાં રસ નથી પડતો. એમને તો જ્યોતિષશાસ્ત્રો, અર્થશાસ્ત્રો, કામશાસ્ત્રો, વૈઘક શાસ્ત્રો અને શિલ્પશાસ્ત્રો ભણવાનું જ મન થાય છે. જે વિદ્યા આત્માનું હિત ન કરતી હોય, તે બધી પાપવિદ્યા છે. જેમાં જીવનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, જેમાં અજીવનું નિરૂપણ કરવામાં આવ્યું હોય, જેમાં પુણ્ય ને પાપનું નિરૂપણ કરવામાં આવ્યું હોય. જેમાં આશ્રવ-સંવરનું નિરૂપણ કરાયું હોય, જેમાં બંધ-નિર્જરા અને મોક્ષનું નિરૂપણ કરાયું હોય. એટલું જ નહીં, પણ એ તત્ત્વોમાં હેય-ઉપાદેયનો વિવેક બતાવ્યો હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy