SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ - ૧૨ : પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૬ અધ્યયનોનો પરિચય - 12 S તે પ્રાયઃ ધનના સહારે ચાલનારા હોય છે. તે લઈને સાધુ બેઠો એટલે તેને ગૃહસ્થોનો સંસર્ગ કરવો જ પડે. 249 સારા - વિદ્વાન ગણાતા એક પ્રવચનકાર ભરસભામાં બોલી ઉઠ્યા કે ‘મારા માથે ચાલીસ લાખનું દેવું છે અને જો તમે તે પૂરું નહિ કરો તો મંતર-તંતરની હાટડીઓ મારે ખોલવી પડશે.' આ તકાદો વીતરાગનો સાધુ ગણાતી વ્યક્તિને કરવો પડે છે તે આ નિઃશીલ શ્રાવકોનાં સંસર્ગનું પરિણામ છે. શ્રી સૂયગડાંગ સૂત્રનું આ અધ્યયન વાસ્તવિક પરિણતિ સાથે ન ભણ્યા તેનું આ પરિણામ છે. જેણે સુશીલ રહેવું છે, તેવા સાધુએ કુશીલ એવા સાધુઓનાં સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. કુશીલ બે પ્રકા૨ના છે. ૧ ૫રદર્શની કુશીલ અને ૨ સ્વદર્શની કુશીલ. અન્ય દર્શનના - અન્ય મતના સાધુઓ પરદર્શની કુશીલ કહેવાય. એવાનો સંસર્ગ નહિ કરવો અને જૈન સાધુપણું સ્વીકાર્યા પછી પાસસ્થા, ઓસન્ના, સંસક્તા, કુશીલીયા કે યથાછંદા બન્યા હોય તેવા સાધુઓ સ્વદર્શની કુશીલ કહેવાય છે. તેઓનો સંસર્ગ પણ ન કરવો. સભા: આ કોને ના પાડી ? અમને સાધુ-સાધ્વીને ના પાડી છે. સભાઃ એનો મતલબ - અમને તેમનો સંસર્ગ કરવાની હા પાડી ને ? મને આ શાસ્ત્રમાં વર્ણવાયેલ પરિભાષાની શૈલીમાં વાત કરવા દો. પરિભાષા છોડીને કેવળ ‘હા’ કે ‘ના’ની ભાષામાં હું કશું જ નહિ કહું ! જો હું ‘હા’ કહું તો કહેશે કે મને મહારાજ સાહેબે ‘હા’ પાડી છે અને ‘ના’ પાડું તો કહેશે કે મહારાજ સાહેબે ‘ના’ પાડી છે. એમ અમારા માટે ઢોલ પીટીને પ્રચાર પણ કરતા થાય. Jain Education International કેટલાક એવા હોય કે જેમને ત્યાં જવું હોય, મહારાજ સાહેબનાં મોઢે ‘હા’ પડાવવી હોય, પણ અમે ‘ના’ પાડીએ તો કહે કે ‘ફલાણા મારા સગા છે.’ અમે કહીએ ધર્મમાં સગાવાદ ન ચાલે.’ તો કહે કે ‘એ તો વ્યવહારથી જવું પડે !' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy