SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ - 28 ૧ - આગમ જાણો ! આ કાર્ય સંભાળવા માટે સ્વયં ખુશીથી તૈયાર થયા, ત્યારે પણ પરમતારકે એમને કહ્યું કે, “તમારી શક્તિ અને સંયોગો જોઈને ઉપાડજો. પછી તમે કહો કે “ફંડ નથી, હવે તમે ફંડ કરાવી આપો,” તો એ અંગેની મારી કોઈ જવાબદારી નથી. આ ધંધો મારો નથી.' એકવાર વિહાર કરતાં-કરતાં પરમતારક ગુરુદેવ વઢવાણ પધાર્યા. ત્યારે પૂજ્યશ્રીનાં પ્રવચનો છાપતું જિનવાણી પાક્ષિક વઢવાણમાં છપાતું હતું. જેમના પ્રેસમાં એ છપાતું હતું તે ભાઈએ પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી કરી કે “સાહેબજી ! આપના પ્રવચનોનું પાક્ષિક મારી પ્રેસમાં છપાય છે. આપ જરા પ્રેસ જોવા આવો તો ખરી ! કામ કેવું ચાલે છે, તેનો જોવાથી ખ્યાલ આવે !” તેમણે તે ભાઈને ઘસીને ના પાડી દીધી અને જે સાધુઓ તે ભાઈને લઈને પરમતારક ગુરુદેવ પાસે ગયા હતા તેમને તેઓશ્રીએ આંખ લાલ કરીને કહ્યું, “બેસી જાવ ! આ આપણો આચાર છે ? તમારા આચાર કાંઈ સમજો છો ?' મૂળ વાત ઉપર આવો. અહીં તમને ગૃહસ્થોને નિઃશીલ કહ્યા છે - એની આપણે વાત કરતા હતા. નિઃશીલનો સંસર્ગ ન કરવો, એમ અમને કહ્યું. નિઃશીલ વ્યક્તિના સંસર્ગથી બચવા માટે અમારે ખૂબ સત્ત્વ કેળવવું પડશે અને તમારે તમારા જીવનમાં નિઃશીલતા ન આવે તેની કાળજી રાખવી પડશે. એ માટે સુશીલનો સંસર્ગ કેળવવો પડશે. સભાઃ તાળી બે હાથે પડે ? મારા પરમતારક ગુરુદેવે આવા જ પ્રશ્નના જવાબમાં અમદાવાદમાં એક હાથે તાળી પાડી બતાવી હતી. સભાઃ કઈ રીતે ? તે વાત તો તેમની સાથે ગઈ. અમને પાડતા નથી આવડતી. વાતનો મર્મ સમજો ! નિઃશીલ ગૃહસ્થોનો સંસર્ગ થવો ન જોઈએ, એ મુખ્ય વાત સમજી લેવાની જરૂર છે. સાધુ જેવા સાધુને પણ નિઃશીલનો સંસર્ગ થવાનાં કે કરવાનાં કારણો કયાં ? આયોજનો અને પ્રોજેક્ટો. જેટલાં પણ આયોજનો અને પ્રોજેક્ટો હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy