SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ – ૧૨ : પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૬ અધ્યયનોનો પરિચય - 12 - 247 વિશ્વમાં અજાયબી રૂપ આ તીર્થનું નિર્માણ થયું છે. એ નિર્માણાદિમાં જ્યાં જ્યાં ખામીઓ હતી, જે કાંઈ અવિધિઓ થતી હતી, તે પણ પરમતારક ગુરુદેવ અવસર પામીને લાગતા વળગતાઓને કહ્યા વગર નથી રહ્યા. એ તીર્થના ભવ્ય નિર્માણથી લઈ સંચાલન સુધીનાં કોઈ પણ કાર્યમાં એમણે કોઈ પણ માનસિક કે ભાવનાત્મક જોડાણ ક્યારેય રાખ્યું નથી. કેવળ ઉપદેશ, બીજી કોઈ જ પ્રવૃત્તિમાં જોડાણ નહીં. પ્રભાવક જૈનાચાર્ય પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે આ તીર્થ નિર્માણ અંગે અભિપ્રાય આપતાં જણાવેલું કે સમગ્ર ભારતમાં મેં આ એક જ તીર્થ એવું જોયું છે કે જેનું નિર્માણ સાધુ ભગવંતના ઉપદેશથી થવા છતાં એમાં સાધુ ભગવંતોનું કોઈ જ જોડાણ ન હોય. સંપૂર્ણ કાર્ય ગૃહસ્થ શ્રાવકોએ જ સંભાળ્યું છે.' “જૈન પ્રવચન અને “જિનવાણી': સભાઃ જૈન પ્રવચન સાપ્તાહિક તો તેઓશ્રીની પ્રેરણાથી ચાલુ થયું હતું ને ? ના ! જૈન પ્રવચન સાપ્તાહિક ૧૯૮૫ની સાલમાં પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાનાં ઉપદેશથી ભગવાનદાસ હાલાભાઈના સત્ક્રયાસથી શરૂ થયું હતું. આ ભગવાનદાસ જ આગળ જઈ પૂજ્ય ગુરુદેવના શિષ્યરૂપે દિક્ષિત થઈ નમસ્કાર મહામંત્રારાધક પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના નામે પ્રખ્યાત થયા હતા. એમણે લાલબાગમાં પૂજ્યશ્રીનાં પ્રવચનો સાંભળ્યાં ને હૈયુ રંગાયું. નિયમિત આવવા લાગ્યા. તેમને થયું, આ પ્રવચનગંગા બધાને મળવી જોઈએ. તેમાંથી તેમણે તેમના પુરુષાર્થથી આ “જૈન પ્રવચન ચાલુ કર્યું. તેમાં અનુમતિ પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા અને પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર્ય પાસેથી મેળવી હતી. આમાં રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સીધી કે આડકતરી રીતે ય ક્યારે ય ન હતા. તે આમાં સાવ નિર્લેપ હતા. જ્યારે તેના બાહોશ તંત્રી અને કાર્યવાહક શ્રીકાંતભાઈ ચાલ્યા ગયા, ત્યારે “જૈન પ્રવચન' બંધ થઈ ગયું. એ વખતે ઘણા બધાએ પરમતારક પાસે ફરીયાદ કરી કે “ગમે તેમ કરીને ચાલુ કરો !” ત્યારે પરમતારક ગુરુદેવે કહ્યું કે “મારું એ કામ નથી. મારું પ્રવચન તો ચાલુ જ છે.” એ પછી એ જૈન પ્રવચન અંગેનો એમણે ક્યારેય વિચાર પણ કર્યો નથી. તેનાથી તદ્દન નિર્લેપ હતા. જ્યારે બીજા શ્રાવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy