SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 242 ૨૪૨ - ૧ - આગમ જાણો ! - નિઃશીલ-કુશીલ-સુશીલ: જેને શીલ જ નથી તેને નિ:શીલ કહ્યાં છે. સર્વ સંસારીઓ નિઃશીલ છે. સાધુપણું લઈને જે પાસધ્ધા-અવસન્ના-સંસક્તા-કુશીલીયા અને યથાશૃંદા બન્યા છે તેવા જૈન સાધુઓ અને અન્યદર્શનના સાધુઓને અહીં ‘કુશીલ' કહ્યા છે. કુશીલ એવા આ બધાથી જે આત્માઓ બચે, તેમના સંસર્ગથી દૂર રહે અને શાસ્ત્રસાપેક્ષ આચાર, વિચાર, ઉચ્ચારને ધરાવે તેમને “સુશીલ' કહ્યા છે. માટે જ આચારાંગ સૂત્રમાં “ગૃહસ્થોનો સંસર્ગ ન કરવો' એમ અમને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. અમને પરમાત્માએ ત્યાં કહ્યું કે તમારે સંયમ દેહને ટકાવવા માટે આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ આદિ ગૃહસ્થો પાસેથી જ મેળવવાનાં છે, પણ તે મેળવવા જતાં ધ્યાનમાં રાખવાનું કે તે નિઃશીલ છે. તમારે એમનો બહુ પરિચય નહિ કરવાનો, કામ પૂરતું કામ. બાકી વધુ પરિચયમાં નહિ પડવાનું, છતાં જો એમનો ગાઢ પરિચય કર્યો તો ધીમે ધીમે નિઃશીલ એવા એ ગૃહસ્થો પોતાના પરિચયથી સુશીલ એવા પણ તમને નિઃશીલ કરશે. આગમમાં મજાનું દૃષ્ટાંત આપીને આ વાત સમજાવી છે. આંબા અને લીમડાના મૂળીયાં એકત્ર ભેગાં થયાં. બંનેના મિલનથી પરિણામ એ આવ્યું કે મીઠો આંબો કડવો થઈ ગયો. આંબાએ આગ્રત્વ છોડીને લીમડાપણું પ્રાપ્ત કર્યું. સમજ્યા ? સભા અમને નિઃશીલ કહ્યાં ? હલકા અર્થમાં નથી કહ્યા, સાધુપણાની અપેક્ષાએ કહ્યા છે. ગૃહસ્થોને અલ્પ શીલ હોવાથી એની ગણતરી ન કરતાં નિઃશીલ કહેવામાં આવ્યા છે. છતાં વિચારશો તો જણાશે કે પ્રભુએ તમને ‘કુશીલ' નથી કહ્યા પણ “નિઃશીલ' કહ્યા છે. કુશીલથી તો તમારે-અમારે બંનેએ દૂર રહેવાનું છે. અગ્નિ હોય તો જ તાપણું થાય. તમે તો અનુભવી છો ! કઈ રીતે તાપણું તાપો ? દૂરથી કે ચોંટીને ? તમારું શરીર ક્યાંય અડી ન જાય, ભૂલથી પણ હાથ પડી ન જાય ! એની કાળજી રાખો ને ? અગ્નિનો ઉપયોગ કરવો અલગ છે અને અંદર પડતું મૂકવું અલગ છે. બહેનોને તો મોટે ભાગે અગ્નિ પાસે જ કામ લેવાનું હોય છે. છતાં કેટલાં સાવધ રહે ? એક ખાખરો શેકે તોય આમ હાથ દૂર રાખીને શેકે. હાથ અડાડીને ન શકે. આમ અગ્નિનો ઉપયોગ કરનાર પણ તેનાથી કેટલા સાવચેત રહે ? જ્ઞાની ભગવંતો કહે છે કે નિઃશીલ એવા આ સંસારીઓ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy