SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ - ૧૦ : આખ કહે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 223 આ સૂયગડાંગજી સૂત્રના બે શ્રુતસ્કંધ છે. તેથી તે બે મુખ્ય વિભાગમાં વહેંચાયેલું છે. કોઈ મોટા ગ્રંથમાં જેમ પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ હોય તેમ. શ્રી સૂયગડાંગજી સૂત્રમાં પહેલો જે શ્રુતસ્કંધ છે, તેનાં સોળ અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયનો છે. એટલે બંનેમાં મળી કુલ તેવીસ અધ્યયનો થયાં અને દરેક અધ્યયનોના અલગ-અલગ ઉદ્દેશા છે. પહેલા શ્રુતસ્કંધના સોળ અધ્યયનોના મળી કુલ છવ્વીશ ઉદ્દેશાઓ છે અને બીજા શ્રુતસ્કંધના અધ્યયનો જ ઉદ્દેશારૂપ છે માટે સાત અધ્યયનના ઉદ્દેશા પણ સાત જ છે. એમ બન્ને શ્રુતસ્કંધના મળી તેત્રીશ ઉદ્દેશાઓ છે. આ બધી વાત કાલથી વિગતવાર માટે સમજાવવી છે. એ દરેક અધ્યયનો ને ઉદ્દેશામાં કયો કયો વિષય કહેવામાં આવ્યો છે, તેની પણ મારે તમને વાત કરવી છે. ત્યારબાદ ક્રમશઃ પ્રથમ શ્રુતસ્કંધ, તેનું પહેલું અધ્યયન - તેનો પહેલો ઉદ્દેશો અને તેનું પણ પહેલું સૂત્ર આપણે શરૂ કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy