SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ આગમ જાણો ! કરે છે. જ્યારે અન્ય અન્ય મિથ્યાદર્શનો એ દ્રવ્યવ્યવસ્થામાં ચોક્કસ નથી . અધૂરાં છે, એકાંતી છે, ન્યૂન છે. તેથી તે અધૂરાં, એકાંતી અને ન્યૂન એવાં મિથ્યાદર્શનોનું યુક્તિયુક્ત ખંડન અને પૂર્ણ, અનેકાંતિક અને સર્વાંગસુંદર એવાં જૈનદર્શનનું યુક્તિયુક્ત મંડન પણ આ આગમમાં વિસ્તૃત રીતે કરેલું છે. એના જ અનુસંધાનમાં વિશ્વના એક-એક દર્શનની શું માન્યતાઓ છે, તેમનો શું ભ્રમ છે, તેમની શું ન્યૂનતાઓ છે ? તેની વિગતવાર વાતો કરીને જૈનદર્શનની જૈનદર્શનના અનેકાંતવાદની, જૈનદર્શનના આચારમાર્ગની, સાધનામાર્ગની પૂર્ણતા, યથાર્થતા, હિતકારિતાનું વિશદ્ વર્ણન કરાયું છે. સાથોસાથ એ છ દ્રવ્યોનું નિરૂપણ કરતાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની ઝીણી વાતો પણ આમાં કરવામાં આવી છે. આ રીતે અનેક પ્રકારે ‘દ્રવ્ય’ની વિચારણા સાથે સંકળાયેલું આ આગમ હોવાથી આનો સમાવેશ દ્રવ્યાનુયોગમાં કરાયો છે. તમને કદાચ થશે કે આપણે માટે આ બધાનો શું ઉપયોગ ? પણ જ્યારે આ આગમોને વિધિપૂર્વક સાંભ શો ત્યારે તમને ખબર પડશે કે આ આગમોનું અને આગમોમાં કહેવાયેલા પદાર્થોનું શ્રવણ તમારા માટે પણ કેટલું ઉપકારી અને જરૂરી છે. કર્મનો ઉચ્છેદ એમને એમ નહિ થાય. આ બધું જાણી વિવેક કેળવીને જ કર્મોચ્છેદ કરી શકાય તેમ છે. દ્રવ્યાનુયોગના ગ્રંથોના અધ્યયનથી વિપુલ કર્મનિર્જરા થાય છે. એનાથી મિથ્યાત્વ ઓગળે છે. સમ્યક્ત્વ દૃઢ અને નિર્મળ બને છે. માટે જ સાધુ ભગવંતોને આવા ગ્રંથોનો અભ્યાસ કરવા માટે વિશેષ આજ્ઞા કરવામાં આવી છે. ૧ - Jain Education International ત્યારબાદ ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂર્યપ્રજ્ઞપ્તિ-જ્યોતિષકદંડક જેવા ગ્રંથો મુખ્યત્વે ગણિતાનુયોગના ગ્રંથો છે. એમાં ગણિતની પ્રધાનતા છે. જ્યારે જ્ઞાતાધર્મકથાઉપાસકદશાંગ જેવા ગ્રંથો ધર્મકથાનુયોગના ગ્રંથો છે. જેમાં મુખ્યત્વે કથાઓના માધ્યમે ઉપદેશ આપવામાં આવેલો છે. 222 એક વાત ધ્યાનમાં રહે કે ચારેય અનુયોગમાં શ્રદ્ધાની સ્થિરતા માટે દ્રવ્યાનુયોગના આગમોની મુખ્યતા છે, જ્યારે આરાધના-સાધના માટે ચરણકરણાનુયોગના આગમો ઉપયોગી છે. વિશ્વના પદાર્થોની ઓળખ માટે ગણિતાનુયોગના આગમોની જરૂ૨ કહેલી છે અને આરાધના-સાધનામાં ઉત્સાહ વધારવા ધર્મકથાનુયોગની આવશ્યકતા માનેલી છે. અન્ય ત્રણેય અનુયોગો સાધન છે અને એ દ્વારા પ્રધાન ચરણકરણાનુયોગ સાધ્ય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy