SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! કરજે.’ આ સાંભળીને ગુરુભગવંતે શ્રુતબલથી ‘આ મોટો શ્રુતધર બનશે' એમ જાણીને અનુમતિ આપી અને અનુમતિ મળતાં જ આર્યરક્ષિતજીએ ત્યાંને ત્યાં જ ત્યારે સંસારી કપડાં ઉતાર્યાં, સાધુવેષ ધારણ કર્યો અને દીક્ષા લીધી. ૨૨૦ ૧ Jain Education International સભા: મુહૂર્ત ન જોયું ? ઉત્કૃષ્ટ પુષ્યવાળાને મુહૂર્ત સામેથી દોડીને આવે છે. મયણાસુંદરીનો પ્રસંગ જાણ્યો છે ને ? સુરસુંદરી માટે રાજા મુહૂત્તે શોધે છે ને મળતું નથી. જ્યારે મયણાસુંદરી માટે મુહૂત્તે દોડતું આવ્યું. આ મુહૂર્તો પણ જેવાં તેવાં નહિ. એનાં પરિણામ પણ તમે જોઈ શકો છો. એમણે જૈન સંઘ ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો ? આગમોને ૧ - ચરણકરણાનુયોગ, ૨ - દ્રવ્યાનુયોગ,૩ - ધર્મકથાનુયોગ અને ૪ - ગણિતાનુયોગ - એમ ચાર અનુયોગમાં વિભક્ત કરીને અલ્પ ક્ષયોપશમવાળા સાધકો માટે શ્રુતસાધનાનો માર્ગ સરળ કરી આપ્યો. આ એમનો નાનોસૂનો ઉપકાર નથી. એ પૂર્વે આગમના પ્રત્યેક સૂત્રમાં આ ચારે ચાર અનુયોગ ઘટાવવાના રહેતા હતા. એવું કરવા માટે બુદ્ધિનો ખૂબ સારો ક્ષયોપશમ અપેક્ષિત હોય છે. કાળબળે એ ક્ષયોપશમ ઘટતાં આ રીતે અનુયોગ વિભક્ત કરાયા. એટલે જે સૂત્રમાં જે અનુયોગની પ્રધાનતા હોય તેની જ મુખ્યતાએ એનું વ્યાખ્યાન કરવાનું રહ્યું. એથી અલ્પક્ષયોપશમવાળા સાધકો માટે સમજવું સહેલું બન્યું. ચારિત્રની શ્રદ્ધા પ્રગટે છે આચારાંગથી : આચારાંગ સૂત્ર : પ્રથમ અંગ આગમમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનો સંગ્રહ કરાયો છે. જો કે એમાં દ્રવ્યાનુયોગ વગેરેનું વર્ણન પણ કરાયું જ છે. આમ છતાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનું વર્ણન કરાયું હોઈ શ્રી આચારાંગજી ચરણકરણાનુયોગનું આગમ કહેવાય છે. ચરણકરણ એટલે ચારિત્ર અને એ અંગેની ક્રિયા. ચારિત્રની સાધના અને આરાધનાનું વિસ્તારથી વર્ણન આચારાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. માટે જ ચારિત્ર માર્ગની શ્રદ્ધા અને પાલન જ્યારે દુર્લભ બન્યું હતું, તે અરસામાં એટલે વિ. સં. ૧૯૮૫/૮૬ યાને ઈ. સં. ૧૯૨૯/૩૦ના ગાળામાં ૫૨મતા૨ક ગુરુદેવે આ જ આચારાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાનો કર્યાં અને ચરણકરણાનુયોગને જીવંત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગઈકાલ સુધી ધર્મને ગાળો દેનારા, અપાસરે કદિ નહિ આવનારા, પાન 220 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy