SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ - ૧ - આગ 218 માનું કહેલું કરવા તૈયાર થયા ? માની વાત સાંભળતાની સાથે જ આર્યરક્ષિતજીએ કહ્યું, “મા ! આવતી કાલે જ વહેલી સવારે ચાલ્યો જઈશ મામા પાસે !' આ સાંભળીને એ માને કેવો આનંદ થયો હશે ? જરા કલ્પના કરજો મહાનુભાવ ! બીજા જ દિવસે વહેલી સવારે ઘરમાં કોઈને ખબર ન પડે એમ ઉઠીને માને કહી, પગે લાગીને આર્યરક્ષિતજીએ માના આશીર્વાદ લીધા અને મામા મહારાજ તોસલીપુત્ર આચાર્ય પાસે જવા નીકળી ગયા. માનો વિચાર કરો તો પુત્ર હિત કરવાની ભાવના સામે માને જરા સરખો ય પુત્રમોહ ન નડ્યો અને આર્યરક્ષિતજીનો વિચાર કરો તો માની ભાવના સંતોષવા એમને ન નડ્યું રાજવીનું માન, કે ન નડી નગરીની આગતા-સ્વાગતા, ન નડી એમને દુન્યવી સુખની કામના કે ન આવ્યો એમને પોતાના ભાવિ જીવનનો વિચાર. એકમાત્ર “મા જે કરશે તે મારા હિત માટે જ કરશે' એવો મા પ્રત્યેનો દૃઢ વિશ્વાસ અને એવી હિતસ્વી માની લાગણીને-ભાવનાને સંતોષવા જે પણ કરવું પડે, તે કરી લેવાના દઢ સંકલ્પ સાથે ઘર-પરિવાર, સ્વજન વગેરે બધું જ મૂકીને તેઓ નીકળી ગયા. થોડુંક ગયા ને સામે જ એક ઓળખીતો માણસ મળ્યો ને કહ્યું, “હું તમને જ મળવા આવ્યો છું - આ શેરડી તમને ભેટ ધરવાની છે. તેને કહ્યું, “હું જરા કામ માટે જઉં છું, તમે જઈને મારી માને કહેજો કે સૌથી પહેલાં તમે મને મળ્યા હતા.” એના હાથમાં રહેલા શેરડીના સાઠા જોયા, સાડાનવ હતા. એનાથી જાણી લીધું કે, હું જે દૃષ્ટિવાદ ભણવા જાઉં છું, તેમાંથી મને સાડાનવ ભાગ જેટલું જ્ઞાન પ્રાપ્ત થશે. જ્યારે તેઓ આચાર્ય “તોસલીપુત્ર” જ્યાં ઉતરેલા હતા તે “ઈશુવાટક' એટલે કે શેરડીના વાડામાં આવેલા ઉપાશ્રયમાં આવી પહોંચ્યા. ત્યારે તેમણે વિચાર્યું કે ગુરુ પાસે એમને એમ ન જવાય. એ માટેની વિધિ ભણવી જોઈએ.” દેવ-ગુરુ પાસે જવાની વિધિ એ જાણતા ન હતા. પણ એ માટેની વિધિ બરાબર જાળવવી જ જોઈએ - એવું તો એ બરાબર જાણતા હતા. તેથી જ તેઓ બહાર ઉભા રહ્યા અને રાહ જોઈ કે, કોઈ આવે પછી જઉં. એટલામાં ‘ઢહર” નામના એક શ્રાવક આવ્યા. જેમના ખભે ખેસ હતો, માથે પાઘડી હતી, તેઓ ઉપાશ્રયના દ્વારે ત્રણ વાર ‘નિસાહિ” બોલીને અંદર ગયા. તેમણે ઈરિયાવહી કરીને ગુરુભગવંતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy