SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦. 210. - ૧ - આગમ જાણો ! - 'जिणदेसियं, जह भणियं पुवसूरिहिं, यथाशास्त्र, जैनेन्द्रसिद्धान्तनिस्यन्दः, यथोदितं, શાસ્ત્રાનુસારે, શ્રુતવાર વાત..” “તીર્થકર ભગવંત જે કહી ગયા તે જ અમે કહીએ છીએ, અમારા પૂર્વાચાર્ય ભગવંતોએ જે કહ્યું છે, તે જ અમે કહીએ છીએ, શાસ્ત્રોમાં જેમ કહેલું છે તે જ અમે કહીએ છીએ, જેન આગમોના ઝરણાંરૂપ વાક્યો અમે કહીએ છીએ...' બીજા કોઈ એમ કહે કે, “ના, હું પોતે આમ કહું છું. આ મારી મૌલિક વિચારણા છે' - તો તે ન મનાય. કેમકે તેનાં વચનોના આધારે સાધના ન થાય, એવી સાધનાથી કર્મક્ષય પણ ન થાય. સર્વજ્ઞતા-વીતરાગતા પ્રગટ્યા વિના સ્વતંત્રપણે પોતાની વિચારણાને વ્યક્ત કરવાનો કોઈને અધિકાર નથી. આમ છતાં તેવી વિચારણાને કોઈ રજુ કરે તો તે આપ્ત પણ નથી અને આપ્તનો અનુયાયી પણ નથી. તેથી તેની વાત ન મનાય. તેના આધારે ન ચલાય. તેનાથી આત્મકલ્યાણ ન થાય. ચારે પ્રકારના સંઘમાં શ્રમણ મુખ્ય છે. તેમના માથે આચાર્ય છે અને આચાર્યના માથે સર્વજ્ઞનાં શાસ્ત્રો છે. જેના માથે શ્રમણ નહિ તે સંઘ નહિ, જેના માથે આચાર્ય નહિ તે સાધુ નહિ અને જેના માથે સર્વજ્ઞનાં શાસ્ત્રો નહિ તે જૈનશાસનના આચાર્ય નહિ. 'समणप्पहाणो संघो ।' 'संघो सायरियो ।' સાધવ: શાક્ષુષ: ’ ‘ગામ વિઘૂ સાદૂ ' સંઘ શ્રમણપ્રધાન છે, આચાર્ય સહિતનો સંઘ છે, સાધુઓ શાસ્ત્રરૂપી આંખવાળા છે, સાધુ આગમની આંખવાળો છે.” એમ આપણે ત્યાં કહેલું છે, આ બધાં જ શાસ્ત્રવચનો સદાય તમારી આંખ સામે રહેવા જોઈએ. દ્વત્રિશદ્ દ્વાáિશિકા' નામના ગ્રંથરત્નમાં બત્રીસ-બત્રીશ ગાથાનાં બત્રીશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy