SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ – ૧૦ આપ્ત કરે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 209 દર્શાવતાં શાસ્ત્રને આંખ સામે રાખીને જ બોલે. સર્વજ્ઞ આપ્યું છે માટે સર્વજ્ઞનાં શાસ્ત્ર પણ આપ્યું છે અને એ શાસ્ત્રને આંખ સામે રાખીને જેઓ બોલે તે પણ “આખ છે” એમ કહી શકાય. જૈનશાસનની વિરલ વિશેષતા : તીર્થકરો પણ અન્ય તીર્થકરોનો હવાલો આપે? તીર્થકરો પોતાની સર્વજ્ઞ દૃષ્ટિથી સત્ય જેવું છે તેને તેવું જ જોઈ શકે છે અને પોતાની વીતરાગતાથી સત્ય જેવું છે, તેવું માણી શકે છે. એટલે જ તેઓ જ્યારે જે પણ બોલે તે સત્ય જ હોય છે. માટે જ એક નહિ પણ અનંત-અનંત તીર્થંકર ભગવંતોની કહેલી વાતોને ભેગી કરો તો પણ તે બધાની વાત એક જ સરખી આવે. “ભૂતકાળના અનંતા તીર્થકર જે કહી ગયા છે, ભવિષ્યનાં અનંત તીર્થંકર જે કહેવાના છે - અને વર્તમાનના વિહરમાન વીશ તીર્થંકરો જે કહી રહ્યા છે. તે જ હું કહું છું.” એમ તીર્થંકર પરમાત્માશ્રી મહાવીરદેવ આચારાંગ નામના આગમ ગ્રંથમાં કહી ગયા છે. “શ્રી આચારાંગ સૂત્રના ચોથા “સખ્યત્વ' નામના અધ્યયનમાં જણાવ્યું છે કે - 'से बेमि जे य अईया जे य पडुप्पन्ना जे य आगमिस्सा અરહંતા માવંતો તે સર્વે વિમાફવર્ષાતિ xx' ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા, ભવિષ્યમાં અનંત તીર્થંકરો થશે અને વર્તમાન સમયમાં જે તીર્થકરો વિચરે છે તે અરિહંત ભગવંતો આ મુજબ કહે છે.xx' તીર્થકર જેવા તીર્થંકર પણ ક્યારેય એમ ન કહે કે, “આ હું જ કહું છું, માટે માની લો !” પરંતુ ભૂત, ભાવિ ને વર્તમાનના તીર્થકરોનો પણ એ હવાલો આપીને વાત કરે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા હોય કે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ હોય, શ્રી વાદીવેતાલ શાંતિસૂરિ મહારાજ હોય કે શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ હોય કે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ હોય, કોઈપણ શાસ્ત્રકાર ભગવંત હોય તે બધા એક જ અવાજે કહે છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy