SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ - ૧ - આગમ જાણો ! 208 - ૨ - અનધ્યવસાય: વસ્તુ છે કે નહિ તેનો કોઈ ખ્યાલ જ ન હોય કે વસ્તુના સ્વરૂપ ભેદ-પ્રભેદ વગેરેનો ખ્યાલ જ ન હોય તે અનધ્યવસાયરૂપ અજ્ઞાન છે. વસ્તુની વિશિષ્ટતા, વિશેષ ગુણધર્મો સંબંધી જ્ઞાન ન હોવું તે અનધ્યવસાય છે અને ૩ - વિપર્યયઃ વસ્તુ હોય એક અને જણાય બીજી, વસ્તુનું જ સ્વરૂપ હોય તેના કરતાં ઉંધું જણાય તે વિપર્યયરૂપ અજ્ઞાન છે. એટલે જે વસ્તુ જેવી હોય તેવી ન દેખાય અને જેવી ન હોય તેવી દેખાય તે વિપર્યય. જે વ્યક્તિમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન હોય તેનાથી ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક ખોટું બોલાવાનું શક્ય છે. એના માટે અસત્ય ભાષણની સંભાવના ખુલી જ રહેતી હોય છે માટે જ તીર્થંકર-વીતરાગ પરમાત્મા પણ જ્યાં સુધી સર્વજ્ઞ ન બને. કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રાયઃ ઉપદેશ આપતા નથી, માર્ગ બતાવતા નથી, શાસનની સ્થાપના કરતા નથી. રખે ને ક્યાંય અસત્ય પ્રરૂપણા થઈ જાય ! સભાઃ ક્રોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય બોલાય તેમ મહાવ્રતોના આલાવામાં કહ્યું છે, તો તમે અસત્ય બોલવાના રાગાદિ ત્રણ કારણ કેમ કહો છો ? ક્રોધ-લોભ-ભય અને હાસ્ય એ અસત્ય બોલવાનો આવેગ પેદા કરે છે. અહીં અસત્ય ખરાબ છે, એ સમજાયેલું છે છતાં આવેગથી બોલાય છે. જ્યારે પેલામાં રાગ, દ્વેષ અને અજ્ઞાનને કારણે ખોટું સારું લાગે છે અથવા જાણી જોઈને ખોટું બોલાય છે. પેઢીમાં તમારો અનુભવ છે કે ક્રોધ-લોભ ને માયાથી અસત્ય બોલાય છે અને હાસ્યમાં-મશ્કરીમાં કે રમતે ચડેલાં કેટલી ખોટી વાતો કરે છે ? એટલે આ ચારના ઉદ્રકમાં ખોટું બોલાય છે. એકમાં ખ્યાલ છે ને બીજામાં ખ્યાલ નથી, આટલો ફેર છે. બીજી રીતે વિચારીએ તો ક્રોધ, લોભ, ભય અને હાસ્ય - આ ચારેયનો અપેક્ષાએ રાગ-દ્વેષમાં સમાવેશ થઈ જ જાય છે. અસ્તુ. આ તીર્થકરો “સ્વતઃ આપ્ત' હોય છે. તીર્થકરોના અનુયાયી આચાર્યઉપાધ્યાય-સાધુ એ પરતઃ - પરંપરાએ આપ્યું છે. કારણ કે, એ આચાર્યઉપાધ્યાય કે સાધુ ક્યારે પણ બોલે તો તે આપ્ત એવા સર્વશે કહેલ સિદ્ધાંતોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy