SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - આગમ જાણો ! ખોટું બોલે તેમ બને અને વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની વાસ્તવિક માહિતી જ જેની પાસે ન હોય તે વ્યક્તિ અજ્ઞાનના કારણે પણ ખોટું બોલે તેમ બને. ટૂંકમાં રાગ-દ્વેષ અને અજ્ઞાનને કારણે જ ખોટું બોલાય છે. એ વિના નથી બોલાતું. એટલે જેનામાં રાગ-દ્વેષ અને અજ્ઞાન નથી, તેના મુખમાંથી ખોટું વેણ ક્યારેય નીકળી શકે જ નહિ. આગમોમાં કહ્યું છે - ૧૯૮ 'अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जियरागदोसमोहा य नन्नहावाइणो तेणं ।।' *પોતાના ઉપર કોઈએ ઉપકાર કર્યો નથી, છતાં સ્વભાવથી જ જે પરોપકાર કરવામાં તત્પર છે, એવા જગત્પ્રેષ્ઠ જિનેશ્વરો; રાગ-દ્વેષ અને મોહ (અજ્ઞાન) આ ત્રણેને જીતેલા હોવાથી અન્યથાવાદી (જૂઠ બોલનાર) નથી હોતા.' જે સર્વજ્ઞ-વીતરાગ નથી, તે સ્વયં આપ્ત નથી. આપ્ત બે પ્રકારનાં છે. એક સ્વયં આપ્ત અને બીજા આપ્તના વચનને અનુસરનારા આપ્ત. જે સર્વજ્ઞ વીતરાગ છે, તે સ્વયં આપ્ત છે અને બીજા સર્વજ્ઞ વીતરાગને સમર્પિત હોઈ વીતરાગે કહેલું હોય તે જ બોલે માટે તેઓ પણ આપ્ત માટે જ તીર્થંકર ભગવંતોનો મુખ્ય ગુણ ‘યથાર્થવાદિતા’ છે અને આચાર્ય ભગવંતોનો મુખ્ય ગુણ ‘શુદ્ધપ્રરૂપકતા' છે. 198 ભગવાન માટે - ‘ટ્વિઞવત્થવાળ’ – ‘યથાસ્થિત વસ્તુ સ્વરૂપને કહેનારા’ · એમ મુખ્ય વિશેષણ મૂકાય છે. જ્યારે આચાર્ય માટે ‘યુદ્ધપવો' – ‘સર્વજ્ઞના શાસ્ત્ર મુજબ જ શુદ્ધ પ્રરૂપણા કરનારા' - એમ મુખ્ય વિશેષણ મૂકાય છે. તેમાં ભગવાન સ્વયં-આપ્ત અને ભગવાનનાં શાસ્ત્રોને અનુસારે કહેનારા આચાર્યાદિને પરંપરાએ આપ્ત કહી શકાય. ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’નામના ગ્રંથરત્નની જિનમહત્ત્વ દ્વાત્રિંશિકામાં ‘આપ્તમીમાંસા’નો એક શ્લોક ટાંકવા દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજે એક સુંદર વાત કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy