SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ – ૯: પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 197 સ્વયં આપ્ત અને પરંપરાએ આપ્ત બન્ને પ્રમાણ : આપ્ત એટલે વિશ્વાસ મૂકવા યોગ્ય; નિતાંત યથાર્થવાદી. એ તે જ હોય છે નિતાંત સત્ય કહેનાર હોય, વાસ્તવિક કહેનાર હોય. જેવું હોય તેવું કહેનાર હોય, સ્વાર્થથી વાતમાં કોઈ જાતની ભેળસેળ કરનાર ન હોય. આવું સત્ય, યથાસ્થિત, નિર્ભેળ કોણ કહી શકે? ટીકાકાર કહે છે - 'आप्तश्चात्यन्तिकाद्दोषक्षयात् स चार्हत्रेव ।' ‘દોષોનો આત્યંતિક રીતે એટલે કે સવશે-સર્વથા ક્ષય કરવાથી આપ્તપણું પ્રગટે છે. આવા આપ્ત અરિહંત જ છે.' જેમણે આત્યંતિક રીતે - એટલે કે સવશે સર્વથા દોષોનો ક્ષય કર્યો છે, તે જ આપ્યું છે. આવા આપ્ત અહંત જ છે. “અનુયોગદ્વાર' આગમમાં આતની વ્યાખ્યા જણાવતાં કહ્યું છે કે 'आगमश्चाप्तवचन-माप्तं दोषक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धत्वसम्भवात् ।।' આપ્તનું વચન આગમ કહેવાય છે. આપ્ત દોષનો ક્ષય થવાથી કહેલ છે, અસત્ય બોલવાના કારણોની શક્યતા હોવાથી વીતરાગ અસત્ય વાક્ય બોલતા નથી.' કહેવાનું તાત્પર્ય એ થયું કે જે વીતરાગ સર્વજ્ઞ છે તે જ આપ્ત છે. જેમણે રાગનો ક્ષય કર્યો નથી, જેમણે દ્વેષનો ક્ષય કર્યો નથી અને જેમણે અજ્ઞાનનો ક્ષય કર્યો નથી, તે આપ્ત નથી, પણ જેમણે રાગ-દ્વેષનો ક્ષય કરી વીતરાગતા અને અજ્ઞાનનો ક્ષય કરી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે તે જ આપ્ત પુરુષ છે. એટલે કે જે સર્વજ્ઞ-વીતરાગ નથી, તે આપ્ત નથી અને જે આપ્ત નથી તેમના ઉપદેશથી સાચો વિવેક ક્યારે ય પ્રગટતો નથી. વિવેક પ્રગટાવવા ઉપદેશ સાંભળવો જરૂરી છે અને તે ઉપદેશ આપ્તનો જ હોવો જરૂરી છે. અસત્ય બોલવાનાં ત્રણ કારણો છે : રાગ, દ્વેષ અને અજ્ઞાન. વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે કોઈ પ્રકારનો લગાવ, લાગણી કે રાગ જેને હોય તે તેના માટે ખોટું બોલે તેમ બને. એ જ રીતે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યે કોઈ પ્રકારનો અભાવ, દુર્ભાવ, અણગમો, અરુચિ કે દ્વેષ જેને હોય તે તેના માટે પણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy