SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! શિષ્યે પૂછ્યું કે, ‘તમે વાત તો સારી કરી પણ કર્મનો ઉચ્છેદ કરવો કઈ રીતે ?’ ત્યારે તેના જવાબમાં ગુરુ ભગવંતે કહ્યું કે - કર્મનો ઉચ્છેદ ‘વિવેક દ્વારા’ ક૨વાનો ! સમ્યગ્ વિવેક પેદા થાય તો કર્મનો ઉચ્છેદ થઈ શકે. જેના હૃદયમાં વિવેક પેદા ન થાય, તે કર્મનો ઉચ્છેદ ન કરી શકે. ઉપરથી બને કે નવાં કર્મ બાંધે. ૧૯૬ ૧ ‘પ્રશમરતિ’માં વાચક પ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજા જણાવે છે કે - 'दुःखद्विट् - सुख लिप्सुमहान्धत्वाददृष्टगुणदोषः । यां यां करोति चेष्टां, तया तया दुःखमादत्ते || ' ‘દુઃખનો દ્વેષી અને સુખનો લાલચુ આત્મા મોહથી અંધ હોવાના કારણે વસ્તુના ગુણ-દોષ જોઈ શકતો નથી, આવો મોહાંધ આત્મા જે જે ચેષ્ટા (ક્રિયા) કરે છે, તે ક્રિયાથી તે દુઃખને પામે છે.' સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્ર જીવનમાં આવે એટલે વિવેક આવે. ખોટાને ખોટા તરીકે અને સાચાને સાચા તરીકે જાણવું તે ‘જ્ઞાન-વિવેક'; ખોટાને ખોટા તરીકે માની છોડવાની અને સાચાને સાચા તરીકે માની, જીવનમાં અપનાવવાની તાલાવેલી તે ‘દર્શન-વિવેક’ અને ખોટાને ખોટા તરીકે માની એનો ત્યાગ કરવો ને સાચાને સાચા તરીકે માની એને જીવનમાં આચરવું તે ‘ચારિત્ર વિવેક’ છે. 196 જાણી, શ્રદ્ધા કેળવી, પુરુષાર્થ કરાય ત્યારે તેને વિવેક પૂર્વકનો પુરુષાર્થ કહેવાય. એને ‘પુરુષાર્થ-વિવેક' પણ કહી શકો. વિવેક પ્રગટે ક્યાંથી ? એ લાવવો ક્યાંથી ? તેના માટે ટીકાકારશ્રીજીએ જ કહ્યું કે - ‘અસૌ (વિવે:) ઞામોપદેશમન્તરેળ ન મતિ ' ‘એ વિવેક આપ્તના ઉપદેશ વિના પ્રાપ્ત થતો નથી.' એટલે આપ્તના ઉપદેશ દ્વારા જ વિવેક મળે છે. આપ્ત કોણ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy