SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ – ૯ : પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 195 પરિસ્થિતિમાં પણ તેમણે કેવી રીતે ધર્મસાધના કરી ? તેનો આ આદર્શ નમૂનો છે. પુણિયાનું નામ ભગવાન મહાવીરદેવના શ્રીમુખે એમને એમ નથી ચડ્યું. હવે એક જ કાર્ય કરવાનું કર્મનો ઉચ્છેદ ટીકાકાર મહર્ષિશ્રી શીલાંકાચાર્યજી કહે છે કે, આવા દેવ-ગુરુ-ધર્મ ને સંઘ જેને મળી ગયા છે, તેણે શેનો પ્રયત્ન કરવો જોઈએ ? સૂત્રકૃતાંગ કહે છે કે – ગષછિયે તિતવ્યમ્' “સઘળાંય કર્મોનો નાશ કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.' આ જ વાતને જુદા જુદા શબ્દોમાં જણાવતાં પૂર્વધર મહર્ષિશ્રી ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થ સૂત્રની રચના કરતાં પહેલાં આદ્યકારિકાના બીજા શ્લોકમાં લખ્યું કે, 'जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः ।।२।।' ‘કર્મ અને ક્લેશની પરંપરાવાળો આ સંસાર છે. તેમાં આપણને જન્મ મળ્યો છે. તે સંસારમાં હવે એવો જ પ્રયત્ન કરવો જોઈએ કે, જેથી કર્મ-ક્લેશનો અભાવ એટલે નાશ થઈ જાય. આ પરમાર્થ છે.” આ ભવમાં જો કરવા જેવું કાંઈ પણ કામ હોય તો કર્મનાં બંધનો તોડવાં તે જ કામ છે. આખા સૂત્રકૃતાંગનો આ સાર છે : “કર્મનો ઉચ્છેદ કરો !” આપણે કર્મને પંપાળવાનું કામ દરેક ભવમાં કર્યું છે. અનુકૂળતા મળી ત્યારે પણ કર્મને પંપાળ્યાં છે અને પ્રતિકૂળતા મળી ત્યારે પણ કર્મને જ પંપાળ્યા છે. સુખમાં હસીને કર્મ બાંધ્યાં ને દુઃખમાં રડીને કર્મ બાંધ્યાં. હવે આ ભવમાં એક જ સાધના કરવી છે, એક જ પુરુષાર્થ કરવો છે; તે છે : કર્મનો ઉચ્છેદ ! કર્મની ઉચ્છિત્તિ કરવી કહો, નિર્જરા કરવી કહો, બંધન તોડો કહો કે મોક્ષની સાધના કરવી કહો - બધું એક જ છે. આ ભવમાં આ જ સાધના કરવાની છે, બીજી કોઈ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy