SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ૧ - આગમ જાણો ! – 190 સાંકડો રસ્તો આવ્યો. તેની બંને બાજુ મોટા-મોટા કુંડો હતા. એક બાજુ અત્તરના કુંડો હતા અને બીજી બાજુ વિષ્ટાના કુંડો હતા. એમાં અચાનક બન્યું એવું કે, આપણા બંનેના ઘોડા લપસ્યા, હું પડ્યો અત્તરના કુંડમાં ને તું પડ્યો વિષ્ટાના કુંડમાં !” આટલું બોલીને અકબર ખડખડાટ હસવા લાગ્યો. બિરબલે કહ્યું, “જહાઁપનાહ, તમારું સ્વપ્ન આગળ ચાલ્યું ?” અકબરે કહ્યું, “ના.” બિરબલે કહ્યું – “મને પણ આજે આવું જ સ્વપ્ન આવ્યું. પણ તે આટલેથી ન અટક્યું, આગળ વધ્યું.” એટલે અકબરને આશ્ચર્ય થયું અને પૂછયું કે, “આગળ સ્વપ્નમાં તેં શું જોયું ?” બિરબલે કહ્યું, “જહાંપનાહ, આપ મને અભય આપો તો કહું.” અકબરે કહ્યું, “અભય છે. બોલ !” પછી બિરબલે કહ્યું કે, “જહાંપનાહ, કુંડમાં પડ્યા ત્યાં સુધી તો આપણા બંનેની વાત સરખી છે. પછી આપણે બંને કુંડમાંથી બહાર નીકળ્યા. તે પછી હું તમને ચાટવા લાગ્યો અને તમે મને ચાટવા લાગ્યા.' - આ સાંભળી અકબરનું મોટું પડી ગયું. સમજાય છે કાંઈ? અનાર્યોનું અનુકરણ કરશો તો એમાં પાયમાલી તમારી જ થવાની છે. એ લોકોને તમારું સારું અનુકરણ કરવામાં ગુમાવવાનું કશું નથી, ગુમાવવાનું તમારે જ થશે. આર્યદેશનું સૌભાગ્ય : ચારે પ્રકારનો સંઘ અહીં આર્યદેશમાં છે, સાધનાનો માર્ગ અહીં આર્યદેશમાં છે, કર્મનાં બંધન તોડવાની વાતો અહીં છે, પુણ્ય ને પાપની વાતો અહીં છે, સન્માર્ગે ચાલનારા અને ચલાવનારા સદ્ગુરુ ભગવંતો અહીં છે, મોક્ષમાર્ગ બતાવનારા તીર્થંકર પરમાત્માઓનાં જિનબિંબો, જિનમંદિરો, તીર્થો અને મહાતીર્થો અહીં છે, સન્માર્ગને આરાધનારો શ્રાવક ને શ્રાવિકા વર્ગ અહીં છે. પણ તમારામાં પ્રગટેલી ભોગ-વિલાસની આસક્તિ, સહજ રીતે મળેલા અને મળતા આ સાધના માર્ગને, સાધનાનાં સાધનો અને સ્થાનોને છોડીને ત્યાં જવાનું કહે છે. દીકરાને ત્યાં મોકલવાનું કહે છે. દીકરીને ત્યાં વળાવવાનું કહે છે. જ્ઞાની ભગવંતો ભારપૂર્વક કહે છે કે, અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ આર્યદેશ મળે છે. તેમાં પણ અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ આર્યજાતિ મળે છે. તેમાં પણ અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ આર્યકુળ મળે છે. આ બધું ન દેખાયું ને ત્યાંના લાલ-પીળાનો ભપકો દેખાયો અને એમાં તમે અંજાઈ ગયા. તમને એ ખબર હોવી જોઈએ કે એ ભપકો નથી, પરંતુ ભડકો છે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy