SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ – ૯ઃ પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 181 અહિતકર છે, તે બતાવીને જૈન દર્શન કઈ રીતે પૂર્ણ-પરિપક્વ અને હિતકર છે તે અહીં બતાવેલ છે. એક સરખા આલાવા અને એક જ સરખા શબ્દોની જેમાં રજૂઆત હોય તેને ગમ' નામની સંજ્ઞા અપાય છે, તેવા અનંત ગમોને બતાવનારું આ આગમ છે. શબ્દો એક સરખા, ગાથા એક સરખી – ખાલી એક પદ બદલાઈ જાય એટલે અર્થ બદલાય તે “ગમ'ની વિશેષતા હોય છે. તેવા અનેક ગામોવાળું આ આગમ છે. એ જ રીતે અહીં જે શબ્દો પ્રયોજાયા છે તેના એકસરખા પર્યાયવાચી શબ્દો આપ્યા છે, જેના આધારે સરળતાથી વસ્તુ સમજી શકાય અને એકબીજા શબ્દો વચ્ચે જે ભેદ-વિશેષતા હોય તે પણ જાણી શકાય એને કહેવાય છે પર્યાય. આવા અનેક પર્યાયોવાળું આ આગમ છે. જેનાં પ્રત્યેક પદો શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર આદિ સાહિત્યની પ્રત્યેક શાખાઓથી સર્વાગ સંપૂર્ણ છે - તેવું આ સૂયગડાંગ સૂત્ર છે. સ્વ-પર સમયનો જુદો પણ અર્થ છે. “સ્વ” એટલે “આત્મા' અને “સમય” એટલે અવસર. આત્માનો પોતાનો અવસર તે સ્વસમય અને “પર” એટલે “કર્મ” અને “સમય” એટલે અવસર. “સમય” એટલે “આત્માનો અવસર' અને પરસમય” એટલે “કર્મનો અવસર.” આ સંદર્ભમાં વિચારીએ તો કયા કાળમાં કોણ બળવાન ? જે સમયમાં આત્મા બળવાન બને તે સ્વસમય કહેવાય અને જે સમયમાં કર્મ-મોહ બળવાન બને તે પરસમય કહેવાય. આમાં એ પણ જાણવા મળશે કે આપણો એટલે કે આત્માનો અને કર્મનો કયો અવસર છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ચરમાવર્તકાળ એ સ્વસમય છે અને અચરમાવર્તકાળ એ પરસમય છે. એટલે કે કર્મનો, મોતનો સમય છે. એમાં પણ અપુનબંધક અવસ્થા પછીનો કાળ એ આત્માનો સ્વસમય છે અને અપુનબંધક અવસ્થા પહેલાંનો કાળ એ આત્માનો પરસમય છે. એટલે કે કર્મનો, મોહનો સમય છે. જ્યાં સુધી જીવ અચરમાવર્તમાં હોય. ચરમાવર્તમાં આવ્યા પછી પણ અપુનબંધક દશા ન પામ્યો હોય ત્યાં સુધી કર્મનું જોર હોય છે. આથી તે પરસમય કહેવાય અને ચરમાવર્તમાં આવ્યા પછી જીવ જ્યારે અપુનબંધક અવસ્થાને પામે ત્યારે આત્મા બળવાન બને છે. માટે તે આત્માનો સ્વસમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy