SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 180 ૧૮૦ ૧ – આગમ જાણો ! હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે, 'कर्तुमिच्छो श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः, इच्छायोगः प्रकीर्तितः ।।' ‘શ્રુત-શાસ્ત્રમાં કહ્યા મુજબ કરવાની ઈચ્છાવાળા એવા જ્ઞાનીનો પણ પ્રમાદના કારણે જે અપૂર્ણ ધર્મયોગ હોય તેને ઈચ્છાયોગ કહેવાયો છે.' આ રીતે જિનેશ્વર પરમાત્માને સામર્મયોગનો નમસ્કાર પ્રાપ્ત થાય એવા અંતિમ લક્ષ્યથી, એ માટે શાસ્ત્રયોગનો નમસ્કાર પ્રાપ્ત થાય એવા મધ્યમ લક્ષ્યથી ઈચ્છાયોગનો નમસ્કાર કરીને પૂજ્ય આચાર્ય શ્રી શીલાંકસૂરિજી મહારાજ “જેનો જોટો ન મળે, જેની તુલના ન થઈ શકે તેવા આ સૂત્રકૃતાંગ અંગ-આગમનું હું વિવરણ-વિવેચન-વ્યાખ્યા કરવા ઈચ્છું છું તેવી પ્રતિજ્ઞા રજૂ કરે છે. સૂયગડાંગ સૂત્ર અનુપમ કેમ? શ્રી સૂયગડાંગજી સૂત્ર અતુલ ને અનુપમ શા માટે છે ? તેનો જોટો ન જડે તેવી એનામાં શું વિશેષતા છે ? તે દર્શાવતાં શ્રી શીલાંકસૂરિજી મહારાજ કહે છે કે, “જેમાં સ્વદર્શનનું વર્ણન પણ કરાયું છે અને પરદર્શનનું પણ વર્ણન કરાયું છે. અહીં દર્શન માટે પારિભાષિક “સમય” શબ્દ વાપર્યો છે. સમય” શબ્દના “કાળ”, “દર્શન', “શાસ્ત્ર' “સિદ્ધાંત', આચાર', “આત્મા', “આજ્ઞા', “અવસર', “કાલવિજ્ઞાન”, “આગમ', “રિવાજ', “પદાર્થ' વગેરે વિવિધ અર્થો છે. એમાંથી અહીં “દર્શન' અર્થ લેવાનો છે. દર્શન, ધર્મ, મત, સંપ્રદાય વગેરે શબ્દો અહીં એકર્થિક સમજવા. સ્વ-પર સમયના સ્વરૂપને એટલે કે સ્વદર્શનને-સ્વસિદ્ધાંતને અને પરદર્શનને-પરસિદ્ધાંતને જણાવનારું આ આગમ છે. સ્વસમય સ્વદર્શનઃજૈનદર્શન. પરસમય=પરદર્શન=બીજાનું દર્શનઃજૈન સિવાયનાં દર્શન. તે બંનેયનું એટલે કે સ્વદર્શનનું અને પર દર્શનનું નિરૂપણ કરીને અહીં બંનેની તુલના કરી છે. અજૈન દર્શનો કેવાં અધૂરાં-અપરિપક્વ, ત્રુટક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy