SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ - ૧ - આગમ જાણો ! --- – 178 સુધર્માસ્વામીજીએ કરેલી મૂળ સૂત્રની રચના અને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કરેલી નિર્યુક્તિની રચના - આ બંનેનો સરળતાથી પદાર્થબોધ થાય તે માટે ટીકા રચીને પૂ. આ. શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજે અનહદ ઉપકાર કર્યો છે. મંગલ કરે છે મંગલાચરણ : એ ટીકાના પ્રારંભમાં જ તેઓશ્રીજીએ શ્રી જિનેશ્વર ભગવંતના ચરણે નમસ્કાર કર્યો છે. એ દ્વારા તેઓશ્રીએ જિનેશ્વરદેવ પ્રત્યેનો પોતાનો કૃતજ્ઞભાવ, સમર્પણભાવ વ્યક્ત કર્યો છે. જે પરમાત્માના ચરણે જીવન સમર્પણ કર્યું છે, જેના શરણે તેઓશ્રી રહેલા છે, જેનું પોતે શરણું સ્વીકાર્યું છે, તેનું હૃદયમાં કેવું સ્થાન હશે ? તે આ મંગળના શ્લોક દ્વારા જણાય છે. તેઓશ્રી મંગળ કરતાં કહે છે કે, 'स्व-परसमयार्थसूचक-मनन्तगमपर्यायार्थगुणफलितम् । सूत्रकृतमङ्गमतुलं विवृणोमि जिनानमस्कृत्य ।।१।।' “જિતેશ્વર ભગવંતોને નમસ્કાર કરીને સ્વ-પર સિદ્ધાંતોને જણાવતાર, અનંત ગમ, પર્યાય, અર્થ અને ગુણથી વ્યાપ્ત જેવી કોઈ તુલના ન થઈ શકે તેવા સૂત્રકૃત અંગ, સૂયગડાંગ-અંગતું હું વિવરણ કરું છું. આ શ્લોક દ્વારા તેઓશ્રીએ જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરીને મંગલ કર્યું છે. વધુમાં સૂત્રકૃત-અંગની વ્યાખ્યા કરવાની પોતાની પ્રતિજ્ઞાને વ્યક્ત કરી છે અને એની સાથોસાથ સૂત્રકૃત-અંગ કેટલું મહાન છે, તેનો શું વિષય છે, તેનો પરિચય પણ આપ્યો છે. ગ્રંથના પ્રારંભમાં પરમાત્માને નમસ્કાર કરવાથી ગ્રંથ રચનાકાળમાં આવતાં વિઘ્નોનો નાશ થાય છે અને ગ્રંથરચના નિર્વિઘ્ન થવાથી સ્વ-પરનું સાચું કલ્યાણ થાય છે. ત્રણ પ્રકારનો નમસ્કાર : તારક તીર્થકરોને કરેલા નમસ્કારનું સામર્થ્ય આપણી કલ્પના બહારનું છે. આ નમસ્કાર પણ ઈચ્છાયોગનો, શાસ્ત્રયોગનો અને સામર્મયોગનો – એમ ત્રણ પ્રકારનો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy