SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ઃ પૂર્વાવાર્થોના પંથે ચાલવું, -એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંતશ્રી સુધર્માસ્વામી મહારાજાએ મયવં! જિં તત્ત ? આવા ત્રણ વાર કરેલા પ્રશ્નના ઉત્તરમાં પરમાત્મા પાસેથી ‘૩પન્ને વા', “વિનામે વા' અને પૂવે વા' - આ ત્રિપદી પામીને શેષ દશ ગણધર ભગવંતોની જેમ જ દ્વાદશાંગીની રચના કરી. તે પૈકીનું બીજું અંગ આગમ : સૂયગડાંગ સૂત્ર છે. પરમાત્માના શાસનના ચાર અનુયોગ પૈકીનો બીજો દ્રવ્યાનુયોગ મુખ્યત્વે એમાં વર્ણવવામાં આવ્યો છે. મિથ્યાત્વ વિષનું વમન કરીને આત્માને સમ્યગ્દર્શનમાં સ્થાપન કરવાનો જેનો પ્રભાવ છે, પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને સ્થિર કરીને, નિર્મળ કરવાનું જેનામાં સામર્થ્ય છે, તે અંગ આગમ ઉપર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે નિયુક્તિ અને અન્ય મહાપુરુષે ચૂર્ણ ગ્રંથ રચ્યો છે. શ્રી સૂયગડાંગજી સૂત્ર ઉપર જેમ નિયુક્તિ અને ચૂર્ણ ગ્રંથ રચાયો છે, તેમ પૂ. આ. શ્રી શીલાંકસૂરિજી મહારાજે વૃત્તિ-ટીકા ગ્રંથ રચ્યો છે. પૂ. આ. શ્રી શીલાંકસૂરિજી મહારાજ શીલાંકાચાર્ય કે, શીલાચાર્યના નામે પણ ઓળખાય છે. તેમણે કેટલાં અંગો ઉપર ટીકા રચી છે, તેનો ચોક્કસ પુરાવો મળતો નથી, પણ અત્યારે તેમની બે આગમો ઉપરની ટીકાઓ તો મળે જ છે. તેમાં પહેલી શ્રી આચારાંગજી સુત્ર ઉપરની ટીકા અને બીજી શ્રી સૂયગડાંગજી સૂત્ર ઉપરની ટીકા. આ ટીકામાં તેમણે નિયુક્તિના એક-એક શ્લોકોને પણ આવરી લીધા છે. ભગવાનશ્રી મહાવીરદેવે કહેલા પદાર્થનું આલંબન લઈને પંચમ ગણધર શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy