SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ૧ આગમ જાણો ! ‘જઘન્યથી આઠ પ્રવચનમાતાઓનું અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિક સૂત્રના ચોથા-છજ્જવણિયા અધ્યયનનો જ શ્રાવકને અધિકાર છે અને છજ્જવણિયાનો અધિકાર પણ એ પ્રવ્રજ્યા (દીક્ષા) લેવા તૈયાર થયો હોય ત્યારે જ મળે છે.' અહીં ‘પ્રવચનમાતા’ શબ્દથી સામાયિકાદિ આવશ્યક લેવાનું ‘હિતોપદેશ’ ગ્રંથની ટીકામાં જણાવેલું છે. 174 વિવેકી, સુપાત્ર શ્રાવકોને પિંડેષણાદિ અધ્યયનોના માત્ર અર્થ-શ્રવણનો અધિકાર છે અને તેની યોગ્યતા મુજબ ગીતાર્થ ગુરુ ભગવંતો તેમને સંભળાવી શકે, તે અને તેથી ઉપરના આગમોને સૂત્રથી કે અર્થથી જાતે વાંચવાનો અધિકાર શ્રાવકોને બિલકુલ નથી. ‘તત્ વ્યતિરિક્ત્તસ્ય શેષશ્રુતસ્ય શેષામસ્ય શ્રાદ્ધ્ શ્રમળોપાસ: પતનાય નાધિારી ।' ‘આટલું છોડીને બાકીના બધા આગમોને વાંચવા માટે શ્રાવક અધિકારી નથી' એમ ગ્રંથકારો જણાવે છે. આ રીતે આપણે શરૂ કરેલું આલોચના-૧, વિનીત-૨, ક્ષેત્ર-૩, દિશા-૪, કાળ-૫, નક્ષત્ર-૬, ગુણસંપદા-૭ અને અભિવ્યવહા૨-૮ : આ આઠ બાબતોનું નિરૂપણ આ સાથે પૂરું થયું. આમાંની પહેલી-બીજી બાબતો અને સાતમી બાબત : ગુણસંપદા અંગેના પંદરમુદ્દાઓ તમારી આગળ વિસ્તારથી વર્ણવ્યા. આનો પુરુષાર્થ કોને કરવાનો ? હું માનું છું, તમે કરશો. ઓથે-ઓથે પણ કરશો. એમ માનીને ગ્રંથકાર ૫૨મર્ષિ સૂયગડાંગ સૂત્રમાં આગળ શું ફરમાવે છે, તે અંગે ક્રમશઃ જણાવવા આગળ વધું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy