SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ – ૮ અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 – 173 આગમોની આરાધના સંસારથી તારનારી છે, તો આગમોની વિરાધના સંસારમાં ડૂબાડનારી છે. પૂ. પં. શ્રી વીરવિજયજી મ. રચેલી ૪૫ આગમની પૂજામાં એક ઢાળ આવે છે – આગમની આશાતના નવિ કરીએ' એમાં આગમની આશાતનાથી કેવાં કેવાં અનર્થો અને દુઃખો જીવને ભોગવવાં પડે છે, તેનું સુંદર વર્ણન છે. અત્યાર સુધીના આટલા વિમર્શ પછી આગમ શ્રવણ માટે જરૂરી આઠેય બાબતોને બરાબર લક્ષ્યમાં લઈ તે પૈકી સાતમા નંબરના મુદ્દામાં જણાવેલી અને આપણે ઠીક ઠીક લંબાણથી વિચારેલી પંદર પ્રકારની ગુણસંપત્તિને પામીને આગમની આરાધના આપણે કરવી જોઈએ. શુભ શકુન થાય તો સમજવાનું કે હિતકર બનશે. પક્ષીઓ શુભ સંકેત કરે તો સમજવાનું લાભ થશે. તમે શ્રવણ કરવાનું ચાલુ કર્યું ને કોઈ બોલે “કામ ફતેહ થવાનું ને તમે સાંભળ્યું, ઓલો ભલે બીજી બાબતમાં બોલતો હોય, તમારા કાને પડ્યું એટલે તમને લાભ થવાનો અને કોઈ અંદર-અંદર બોલે કે ભલીવાર નહિ આવે !” અને કાને પડ્યું તો આ વાતો હિતકર ન બને. એક વાત ફરી સ્પષ્ટ કર્યું કે, આ આગમોનું અધ્યાપન કરાવવાનો અધિકાર એકમાત્ર અનુયોગાચાર્ય (પંન્યાસજી) વગેરે અધિકૃત (યોગોઢાહી-ગુરુઆજ્ઞા પ્રાપ્ત) સાધુઓનો જ છે. અધ્યયનનો અધિકાર પણ અધિકૃત સાધુઓનો જ છે. સાધ્વીજી ભગવંતોને પણ માત્ર આવશ્યક વગેરે ચાર આગમોનું જ અધ્યયન કરવાનો અધિકાર પ્રવર્તે છે. ગૃહસ્થોને તો માત્ર આવશ્યક અને અધિકમાં અધિક શ્રી દશવૈકાલિક સૂત્રનાં ચાર અધ્યયનનાં સૂત્ર અને અર્થથી તેમજ પાંચમા અધ્યયનનું અર્થથી અધ્યયન કરવાનો અધિકાર છે. બાકી આગમ-અધ્યયનઅધ્યાપનનો અધિકાર કોઈને નથી. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે – 'जहनेणं अट्ठपवयणमायाओ, उक्कोसेण छज्जीवणिया । छजीवणियं तु पव्वजाए, अभिमुहं वायावेइ ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy