SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ – આગમ જાણો ! 172 આવો સાધુનો સંગ જેને ગમે તે સાધુસંગધર કહેવાય. જેને સાધુનો સંગ ઓછો ગમે, તેનાથી દૂર રહેવું ગમે તે આ આગમોનું અધ્યયન, શ્રવણ કરવા માટે યોગ્ય નથી. - સાધુ ભગવંતો અગર તો સજ્જન, સારા પુરુષોના સંગમાં રત રહેવાથી શુભનો ઉપદેશ, ધાર્મિક આત્માઓનાં દર્શન અને ઉત્તમ, વિનય કરવા યોગ્ય સ્થાને વિનય, આવા અનેક લાભો પ્રાપ્ત થાય છે. આત્મવિકાસ માટે આ અતિશય અગત્યની વસ્તુ છે. આંબાના વૃક્ષોની આસપાસના ખેતરમાં વાવેલા અક્ષતમાં ય આંબાની સુગંધ આવે છે. “આંબામહોર ચોખા’ આ રીતે બને છે. એમ સાધુ-સજજનનો સંગ કરવાથી અસજ્જન વ્યક્તિમાં ય સાધુતા પ્રગટે છે. - જે સાધુ ભગવંતો આ પંદર ગુણો ધરનારા હોય તે જ આ સૂયગડાંગ સૂત્ર વગેરે સૂત્રનું અધ્યયન વગેરે કરવા માટે અધિકારી છે. જેનામાં આ બધા ગુણો પૂરેપૂરા ન હોય પણ ઓછા-વધતા હોય, આમ છતાં જેને આ ગુણો ગમતા હોય, તે મેળવવાનું મન હોય અને શક્તિ મુજબ તે ગુણોને પામવાનો પુરુષાર્થ કરતા હોય તેઓ પણ ઓથે-ઓધે અધિકારી છે. આ રીતે આગમ-અધ્યયન માટે જરૂરી પંદર ગુણોવાળી વ્યક્તિ ગુણસંપન્ન કહેવાય. આ રીતે ગુણસંપન્ન હોવું તે આગમ-અધ્યયન માટે જરૂરી આઠ મુદ્દા પૈકી સાતમો મુદ્દો છે. તે પછી આઠમો મુદ્દો અભિવ્યવહાર નામનો છે. ૮ - પ્રિવ્યવહાર : આગમનું અધ્યયન-અધ્યાપન કરવા માટે ગુરુ-શિષ્ય પરસ્પર જે વ્યવહાર કરવાનો છે, જે પણ વિધિનું પાલન કરવાનું છે, તેને અભિવ્યવહાર કહેવાય છે. આગમ ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન જ્યારે પણ કરવાનું હોય ત્યારે ગુરુશિષ્ય ચોક્કસ પ્રકારની વિધિ કરવાની છે અને ચોક્કસ પ્રકારનો પરસ્પરનો વ્યવહાર પણ કરવાનો છે. યોગ્યતા વગેરે બધું હોવા છતાં આગમ ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન અભિવ્યવહાર કર્યા વિના ક્યારેય ન કરી શકાય. આના ઉપરથી પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે જેને મન થાય તે ગ્રંથાલયોમાંથી આગમ ગ્રંથો કાઢીને વાંચવા, ભણવા-ભણાવવા બેસી જાય છે, તેઓ આ મહાન આગમ ગ્રંથોની આરાધના નહિ પણ આશાતના કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy