SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ ― ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 ન પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જૈનશાસનમાં ‘અષ્ટ પ્રવચનમાતા’ તરીકે ઓળખાવવામાં આવી છે. એને માતા તરીકે ઓળખાવવાનું કારણ એ છે કે એ સાધકના ચારિત્ર દેહને જન્મ આપે છે, સાધકના ચારિત્ર દેહનું પરિપાલન કરે છે અને સાધકના ચારિત્ર દેહનું સારી રીતે શુદ્ધિકરણ કરે છે. માતાએ ક૨વાના ત્રણેય કામ આ અષ્ટ પ્રવચનમાતા કરે છે. બાળકને જન્મ આપવો, બાળકનું પાલન-પોષણ કરવું અને બાળકને સાફસૂથરું રાખવું, આ ત્રણ કામ માનાં છે. માટે જ ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે કે - 'एताश्चारित्रगात्रस्य, जननात् परिपालनात् । संशोधनाय साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः । । १ ।। ' ‘ચારિત્ર દેહને જન્મ આપવાના કારણે, એવું પરિપાલન કરવાના કારણે અને સારી રીતે શુદ્ધ કરવાના કારણે આ આઠ સાધુઓની માતા કહેવાય છે.' 171 પહેલાં વર્ણવી ગયા તે ત્રણ ગુપ્તિ અને અત્યારે વર્ણવી તે પાંચ સમિતિ, આ આઠેયનું સમ્યક્ આરાધન કરનાર સાધુ જ આ આગમનું અધ્યયન કરવા અધિકારી બની શકે છે. હવે આપણે છેલ્લા ‘સાધુ સંગતિધર’ ગુણની વિચારણા કરવી છે. ૧૫ - સાધુસંગો - સાધુ સંગતિરત : જેને નિરંતર સાધુનો સંગ ગમે અને જે સતત સાધુના સંગમાં ૨હે તે ‘સાધુસંગતિરત’ કહેવાય. Jain Education International સભા : સાહેબ, સાધુમાં કોણ કોણ આવે ? સામાન્ય રીતે તો વીતરાગ પરમાત્માના શાસનના સર્વવિરતિધર મુનિવરો જ સાધુ ગણાય. બાકી સાધુનો અર્થ ‘સારો’ એવો પણ થાય. એટલે જે સારા હોય તેમનો સંગ જેને ગમે તે સાધુસંગતિધર કહેવાય. આ રીતે વિચારીએ તો વીતરાગના શાસનના સાધુ-સાધ્વી પણ તેમાં આવે અને સાધુથી ભાવિત થયેલા સુજનઇં સાધુ એટલે શ્રાવક અને શ્રાવિકા પણ આવે, સાધક દશા જેનામાં હોય તે સાધુ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy