SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ૧ - આગમ જાણો ! – 170 આગળ વધી કોઈપણ વસ્તુ લેવા-મૂકવાની હોય તો ચોથી મા તરત જ કહે કે, “જિનરાજ કુળના નબીરાથી કોઈ પણ વસ્તુ ગમે તે રીતે લેવા-મૂકાય નહિ. વસ્તુ લેતાં કે મૂકતાં પહેલાં વસ્તુ, હાથ અને મૂકવાની જગ્યા બરાબર જોવાની અને કોઈ જીવને જરા પણ દુઃખ ન પહોંચે તે રીતે પૂંજી-પ્રમાર્જીને હળવાશથી મૂકવાની. સહેજ પણ અવાજ ન આવવો જોઈએ. ધડાધડ ન કરાય, ફેંકાફેંક ન કરાય. નાના-મોટા, હાલતા-ચાલતા જીવો અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે જીવો પણ આપણા જેવા જ છે. એમને તારી કોઈ લેવામૂકવાની પ્રવૃત્તિથી દુઃખ ન પહોંચે, તેની કાળજી રાખજે.” રાજકુળના નબીરાઓ જ્યાં - ત્યાં જઈ ન આવે તો જિનરાજકુળના નબીરા જ્યાં-ત્યાં પોતાના શરીરનો મેલ, મળ ન નાંખે. શરીર છે, શરીરના ધર્મો બજાવવા પડે પણ તેના ધર્મો બજાવતાં કોઈ જોઈ ન શકે, કોઈ જીવની હિંસાવિરાધના ન થાય, શાસનનું માલિન્ય ન થાય તે રીતે તું તારા શરીરના મળોનો ત્યાગ કરજે.” તેનું પણ લાંબુ વર્ણન, સંપૂર્ણ જ્ઞાન તે માતા આપે. મનને પ્રસન્ન શી રીતે રાખવું, મનને વિશુદ્ધ કઈ રીતે બનાવવું અને મનને અપ્રશસ્ત વિષયોથી મુક્ત કરીને પ્રશસ્ત વિષયોમાં સ્થિર શી રીતે કરવું ? તે કળા, છઠ્ઠી મા શીખવાડે છે. મનગતિના નામે ઓળખાતી આ મા પોતાના સંતાનને કહે છે કે, “દીકરા ! આપણાથી નબળા વિચારો ન કરાય, આપણાથી ચંચળ મનના ન બનાય. આપણે તો આપણામાં જ ઠરવાનું, આપણામાં જ રહેવાનું, સદાય સ્વસ્થ, પ્રસન્ન અને સ્થિર રહેવાનું છે. આ માના ઈશારે ચાલતો જિનરાજનો પુત્ર સદાય સ્વસ્થ, પ્રસન્ન અને સુસ્થિર મનનો માલિક હોય. આ રીતે આઠ માના ખોળામાં, માર્ગદર્શનમાં ઉછરતો સાધક પ્રવૃત્તિ કરે ત્યારે પાંચ માને ખોળે રહેનારો હોય અને નિવૃત્તિ હોય ત્યારે ત્રણ માને ખોળે રહેનારો હોય. આથી તે સાધક પ્રવચન માતાથી ક્યારેય વિખુટો ન પડે. જે સાધક આ આઠ માથી વિખુટો પડે કે તેનો અનાદર કરે કે તેની ઉપેક્ષા કરે, તે આ આગમ ગ્રંથોનું અધ્યયન કરવા માટે અધિકારી નથી. તીર્થકર ભગવંતોને આ આઠ પ્રવચન માતા પૈકી ચોથી ને પાંચમી માતા એટલે કે “આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિ નથી હોતી. સમર્થ વ્યક્તિને ઓછી મા જોઈએ. નબળાને વધારે જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy