SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ – ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 – 165 રીતે જ સરળતા, જન્મજાત સરળતા લેવી. એટલે કે ગુણના સદ્ભાવરૂપ સરળતા સમજવી. જ્યારે અહીં અશઠતામાં લુચ્ચાઈનો ત્યાગ કરવા દ્વારા કેળવેલી સરળતા લેવી. એટલે કે દોષના અભાવરૂપ સરળતા લેવી. એટલે આ બેયમાં કોઈ વિરોધાભાસ જેવું ન રહે. ૧૩ - સુત્રાસમાળો - મધ્યસ્થ : ત્રાજવા જેવો મધ્યસ્થ એટલે કોઈપણ જાતના પક્ષપાત વગરનો. કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વિચારધારા પ્રત્યે જે આગ્રહી ન હોય પણ વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થતાં જે સત્ય જણાય તેનો સ્વીકાર અને અસત્ય જણાય તેનો ત્યાગ કરવાની ભાવનાવાળો હોય. જેમ કે સમર્થ શાસ્ત્રકારશિરોમણિ આચાર્ય ભગવંતશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું કે – પક્ષપાતો કે વીરે, ન ફેષ: વપિરિપુ ! યુમિન્વયનં યસ્ય, તસ્ય : પરિપ્રદ: પારા' “મને વીર ઉપર પક્ષપાત નથી અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું જણાય તેનો જ સ્વીકાર કરવો જોઈએ.’ માટે જ મેં કપિલાદિનો ત્યાગ કરીને વીર પ્રભુનો સ્વીકાર કર્યો છે. આવી તુલા સમાન માધ્યસ્થ વૃત્તિ જેની હોય તેને સત્યાસત્ય સમજવામાં ક્યારેય કોઈ વિચારોનું બંધન નડે નહિ અને એ સમુચિત રીતે નિરાગ્રહી બનીને સત્યાસત્યને સમજી શકે અને અસત્યનો ત્યાગ કરીને સત્યનો સ્વીકાર પણ કરી શકે. એટલે જ એવી તુલા સમાન માધ્યસ્થ વૃત્તિવાળો સાધક આગમ વગેરે ગ્રંથનું અધ્યયન કરવા માટે અધિકારી છે. સમતાવાળો, તુલા જેવો, જેને બન્ને પલ્લાં સમાન હોય, અનુકુળતામાં ખેંચાઈ ન જાય અને પ્રતિકૂળતામાં ઉભગી ન જાય. રાગનાં નિમિત્તોમાં રાગી ન થાય અને દ્વેષનાં નિમિત્તોમાં કેષી ન થાય. બધે સમાન પરિણામવાળો રહે તેવો સમન્વનો સાધક તુલા સમાન કહેવાય. આનો બીજો અર્થ છે ન્યાયપ્રિયતા=જેને સ્વજનોનું બંધન ક્યારેય ન્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy