SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 164 ૧૬૪ ૧ - આગમ જાણો ! લેવાનું કે હજી એને ગ્રંથી ઓળખાઈ નથી. જ્યારે પણ માયા વગેરે કષાયનો પરિણામ જાગે, ત્યારે તે તરત જ ધ્યાનમાં આવે, પણ એને એ તોડી ન શકે તે બીજી વાત પણ એની ઓળખ તો થવી જ જોઈએ. કોઈ કહે, આટલો ગુસ્સો શા માટે ? તો સામે એવી રાડ પાડીને બોલે કે “હું ગુસ્સો કરું છું ?” એ વખતે પણ એને ખ્યાલ જ ન આવે કે “મેં ગુસ્સો કર્યો.” દસ જણને કહે, “ખોટું ક્યાં સુધી ચલાવવાનું, આપણાથી ખોટું સહન થતું નથી. આ તો કહેવું જ જોઈએ, આપણે કોઈની સાડા બારી રાખતા નથી. ચોખ્ખ-ચોખ્ખું કહી દઈએ.” જાણે પોતાના સિવાય બીજા બધા જ ખોટા ને પોતે જ સાચો એમ એ માને. જેને બીજાનાં ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ બધું ઓળખાય પણ પોતાનું કશું જ ન દેખાય, ન ઓળખાય એવા જીવો દયાપાત્ર છે, કરુણાપાત્ર છે, અનુકંપાપાત્ર છે. કષાયોને ઓળખવા સહેલા નથી. અબજોનું દાન આપવું સહેલું છે. જીવનભરનું શીલ પાળવું સહેલું છે, માસક્ષમણ-સિદ્ધિતપ ને શ્રેણિતપ વગેરે મોટા-મોટા તપ કરવા સહેલા છે. પણ કષાયોને ઓળખવા અઘરા છે. દાન, શીલ, તપની કરણી તો અભવી, દુર્ભવી ભારેકર્મી વગેરે પણ કરી શકે છે. જ્યારે આ કષાયોને ઓળખવાનું કામ ચરમાવર્તમાં આવેલો લઘુકર્મી ભવી જ કરી શકે. માયા વગરનો એટલે સીધો-સરળ-સીધી લાઈનનો. સીધી લાઈનના વિચાર - સીધી લાઈનની વાણી ને સીધી લાઈનનું વર્તન, ત્રણે જેનાં સીધા હોય તેનું નામ સરળ. આજથી તમે નક્કી કરો કે, હવે સીધા જ ચાલવું છે. ક્યાંય વાંકાચૂંકા ચાલવું નથી. આંખ, હૈયું ને હાથે ત્રણે સીધા ચાલે તે અશઠ છે. માટે જ “ધર્મરત્ન પ્રકરણમાં જણાવ્યું છે કે – “જે અશઠ હોય છે, તે બીજાને ઠગતો નથી, તેથી તે સૌને માટે વિશ્વાસ કરવા યોગ્ય બને છે અને તે પ્રશંસાપાત્ર પણ બને છે. તે જ્યારે પણ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે સભાવ-સાચા ભાવપૂર્વક જ ધર્મપ્રવૃત્તિ કરે છે. તે અન્યને રીઝવવા ધર્મ કરતો નથી, પણ પોતાના આત્માને અને પરમાત્માને રીઝવવા જ ધર્મ કરે છે.” આવો સરળ આત્મા જ આગમાદિ શાસ્ત્રોનું અધ્યયન કરવા માટે યોગ્ય છે. આ પૂર્વે અગ્યારમા ગુણરૂપે ઋજુ બતાવ્યો, તેમાં સ્વાભાવિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy