SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - આગમ જાણો ! જ વીશ ફૂટ ખોદવાથી પાણી ન મળે પણ કોઈ ચોક્કસ એક જ જગ્યાએ સો, બસ્સો ફૂટ ખોદવામાં આવે તો જરૂર પાણી મળે; તેમ સાધના જીવનમાં પણ વારંવાર યોગો બદલવાથી પરિણામ ન આવે, પણ કોઈ એક ગીતાર્થ ગુરુના માર્ગદર્શન મુજબ તેઓશ્રીએ દર્શાવેલ પોતાની ભૂમિકાને અનુરૂપ એવા ચોક્કસ યોગ, યોગોમાં સ્થિરતાપૂર્વક પુરુષાર્થ કરવાથી પરિણામ આવે. ૧૫૪ યાદ કરો, માસતુષ મુનિને કે, જેઓ રોજ સવારથી સાંજ સુધી દરેક પોરિસીમાં એક જ કામ કરતા. ‘મા રુષ અને મા તુષ' ગોખવાનું અને એના અર્થથી આત્માને ભાવિત કરવાનો. રાતનો પહેલો ને છેલ્લો પ્રહર, દિવસનો પહેલો, બીજો પ્રહર અને છેલ્લો પ્રહ૨, આ રીતે રોજના પાંચ-પાંચ પ્રહર એટલે લગભગ ૧૫ કલાક ‘મા રુષ ને મા તુષ’ ગોખતા અને તે પણ એક-બે દિવસ નહિં, ૧૫-૩૦ દિવસ નહિં પણ બાર-બાર વર્ષ સુધી ગોખવાનું. કેવી સ્થિરતા હશે, એમની ? આ સ્થિતિમાં આપણે કેટલા દિવસ ટકી શકીએ ? આવા સમયે તમે ગુરુને શું કહો ? ‘સાહેબ ! આ એકનું એક આમ કેટલા દિવસ ગોખ્યા કરવાનું ?’ આપ પણ જુવો જ છો કે, જરાય ચડતું નથી. બીજું કાંઈક આપો. એકની એક વસ્તુમાં મન ટકવું જોઈએ ને ? આપ મારી પ્રગતિ કરાવો. આમાં તો મારી પ્રગતિ રૂંધાય છે. આપ મને બીજું કાંઈ કરવા દેતા નથી, આમાં કાંઈ મારાથી આગળ વધાતું નથી. હવે તો જીવન રુંધાય છે. બીજું કાંઈક આપો તો સંતોષ થાય; હતાશા ન આવે, કાંઈક વૈવિધ્ય મળે. થોડું ભક્તિનું કામ, થોડું વૈયાવચ્ચનું કામ, થોડીવાર નવકારવાળી, આવું કાંઈક ગોઠવી આપો તો મન સ્થિર રહે.’ મનની આવી પરિસ્થિતિ એ સ્થિરતા નથી. આવી અસ્થિરતાથી કલ્યાણ ન થઈ શકે. સ્થિરતા કેળવવા ગીતાર્થને શરણે જવું પડે. પોતાનો આત્મા એમને સોંપવો પડે. તે કહે કે, ‘આટલા-આટલા યોગો, આ રીતે સાધવાના છે' તો તે શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું પડે. જે રીતે કહ્યું હોય તે જ રીતે થવું જોઈએ. ગોખવામાં સ્થિરતા જોઈએ, પૂજામાં સ્થિરતા જોઈએ, દર્શનમાં સ્થિરતા જોઈએ. જ્યારે જે કરવાનું હોય તેમાં પૂરેપૂરી સ્થિરતા જોઈએ. આ તો વ્યાખ્યાનમાં આવ્યા ને સ્નાત્રનું પ્લાનિંગ, સ્નાત્રમાં આવ્યા ને એકાસણાનું પ્લાનિંગ. બીજી જ પ્રવૃત્તિ મનમાં ઘુમ્યા કરે તો લાભ ન થાય. 154 કોઈપણ અનુષ્ઠાન પ્રણિધાન આદિ પાંચ આશયોપૂર્વક કરવાનું છે. તેમાં પ્રણિધાન અને પ્રવૃત્તિની વાત આવે છે. આ પ્રવૃત્તિમાં જે ક્રિયાનો પ્રારંભ કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy