SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ – ૮ઃ અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 – 155 તેનો ઉપયોગ તેમાં જ જોઈએ. પછીની કે પહેલાંની પ્રવૃત્તિમાં પણ નહિ. આજુબાજુ શું બને છે તેમાં પણ નહિ, માત્ર અહીં. આ રીતે થાય તો જ પ્રવૃત્તિ નામનો આશય આવે અને એમાંથી આગળ વધીને સિદ્ધિ થાય. વ્યાખ્યાનમાં કે વાચનામાં બેઠા હો, ત્યારે ધર્મોપદેશક દ્વારા જે પીરસાય તેનું એકાગ્રતાથી શ્રવણ થવું જોઈએ. તળેટી જાવ તો તળેટીની સેવા-યાત્રા પણ એકાગ્રતાથી, પૂજા કરો તો તે વખતે પૂજાના જ વિચાર. “જે વખતે જે કાર્ય ચાલતું હોય તે જલ્દી પતાવો તો બીજો યોગ સધાય.' - તેવો વિચાર પણ ન કરાય. બીજી પ્રવૃત્તિમાં મન રમ્યા કરે તો પહેલી પ્રવૃત્તિ બળી જાય. જે ક્રિયાનો પ્રારંભ કર્યો તેમાં જ ઉપયોગ રહે તો જ “પ્રવૃત્તિ' નામનો આશય સચવાય. આજુબાજુ શું ચાલે છે તેમાં પણ ઉપયોગ નહિ. માત્ર જે કરો છો તેમાં જ ઉપયોગ જોઈએ. હીરાનો વેપારી હિરાનું એસોર્ટિગ કરે, ત્યારે કેટલી એકાગ્રતા ? સંસારનો રસીયો નાટક - સિનેમા કે પિક્ચર જોવે ત્યારે તેમાં કેવી એકાગ્રતા હોય ? રૂપિયાની થપ્પી ગણતા કેવી ઉપયોગશીલતા હોય ? રૂપિયાની મોટી થપ્પી હોય ને તે ગણતા વચમાં કોઈ વિચાર આવે અને ભૂલ થઈ લાગે તો શું કરો ? ફરી ગણો કે નહિ ? એમાં ક્યારેય કંટાળો આવ્યો ? એમાં ક્યારેય મન બીજે ગયું ? અને નવકારવાળી ગણવાનો વારો આવે ત્યારે ? તો એ ગણતાં ગણતાં ઝોકાં આવે અને હાથમાંથી નવકારવાળી પડી પણ જાય, મન બીજે ભમવા પણ જાય. પણ રૂપિયા ગણતાં આવું ક્યારેય ન બને. ત્યાં જેવી સ્થિરતા હોય છે, તેવી સ્થિરતા ધર્મની એક એક પ્રવૃત્તિમાં હોવી જોઈએ, સ્વીકારેલા નિયમો, અભિગ્રહો, વ્રતો અને મહાવ્રતોના અણિશુદ્ધ પાલનની હોવી જોઈએ. પોતે સ્વીકારેલાં વ્રતોમાં સ્થિરતા આવ્યા પછી કોઈપણ યોગ હોય, પછી તે સ્વાધ્યાય હોય કે વ્યાખ્યાન હોય, વાચના હોય કે પૃચ્છના હોય, પરાવર્તનાઅનુપ્રેક્ષા હોય કે અભ્યાસદશાની ધ્યાનની સાધના હોય, એ દરેકમાં અપાર આનંદની અનુભૂતિ થશે અને જેવો આત્મવિકાસ સાધવો હોય તેવો સાધી શકાશે. જીવનમાં સ્વીકારેલ, વ્રતોમાં જો બરાબર સ્થિરતા પ્રગટી જાય તો પછી તે વાચના લેતાં પણ તેના શબ્દોમાં, શબ્દોના અર્થમાં-મર્મમાં, રહસ્યાર્થમાં, તેના ઊંડાણમાં, અંતરંગ ધ્વનિમાં, બધામાં આંતરિક જોડાણ થશે. ઈન્દ્રિય, શરીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy