SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે – 8 ગુપ્તિમાન-૮ : આ આઠ ગુણોની વિચારણા આ પૂર્વેનાં બે પ્રવચનોમાં આપણે કરી ગયા. આજે હવે નવમા ‘સ્થિરવ્રત’ ગુણથી આગળ વધીને પંદ૨મા-છેલ્લા ‘સાધુ સંગતિરક્ત’ ગુણ સુધીનું વર્ણન કરવું છે. તે હવે શરૂ કરીએ. હવે વાત કરવી છે સ્વૈર્યની. ૧૫૩ ― ૯ - થિરવય - સ્થિરવ્રત : પોતે સ્વીકારેલાં વ્રતો-મહાવ્રતોના પરિણામોમાં-પાલનમાં જે સ્થિર હોય તેને સ્થિરવ્રત કહેવાય છે. વ્રતો-મહાવ્રતો સ્વીકાર્યા પછી ગમે તેવા સંયોગો સર્જાય, તે પ્રતિકૂળ ઉપસર્ગરૂપ હોય કે અનુકૂળ ઉપસર્ગરૂપ હોય, તે દરેક વચ્ચે જે સ્થિરચિત્તે સ્વીકારેલાં વ્રતો-મહાવ્રતોને બરાબર પાળે, એમાં ક્યાંય આઘોપાછો ન થાય, તેને સ્થિરવ્રત કહેવાય છે. જે આવો સ્થિરવ્રતી હોય તે જ આગમાદિ ગ્રંથોના અધ્યયનાદિનો અધિકારી બની શકે છે. વ્રતોની સ્થિરતાનો મુખ્યત્વે આધાર મનોવૃત્તિની દૃઢતા ઉપર રહે છે. જેનું મન સ્થિર હોય છે, અસ્થિર નથી હોતું તે જ વ્રતોમાં સ્થિર રહી શકે છે. 153 મનની અસ્થિરતામાં મોટે ભાગે અનુકૂળતાને મેળવવાની અને પ્રતિકૂળતાથી બચવાની વૃત્તિ કામ કરે છે. જે અનુકૂળતા-પ્રતિકૂળતા પ્રત્યે સમત્ત્વ કેળવી શકે છે, તેને માટે સ્થિરચિત્ત-સ્થિરવ્રત બનવું સહેલું છે. જેના જીવનમાં નાના-મોટા વ્યવહારોમાં-વિચારોમાં સ્થિરતા હોય, તેને પણ વ્રતોમાં સ્થિરતા કેળવવા પ્રયત્ન કરવો પડે છે, તો જેના જીવનમાં સામાન્ય વ્યવહારોમાં,વિચારોમાં પણ સ્થિરતા ન હોય તે વ્રતોમાં સ્થિર શી રીતે બની શકે ? જેનાં જીવનમાં સ્થિરતા ન હોય તે આ પામી ન શકે. સ્વભાવમાં સ્થિરતા જોઈએ. જેનામાં સ્થિરતા નથી તે સાધનામાં આગળ વધી શકતો નથી. આજે જ્ઞાનનો વિચાર કરે, કાલે ક્રિયાનો વિચાર કરે. આજે તપનો વિચાર કરે તો કાલે જાત્રાનો વિચાર કરે. આજે જાત્રાનો વિચાર કરે તો કાલે વૈયાવચ્ચનો વિચાર કરે. આને સ્થિરતા ન કહેવાય. બધું કરવા દોડી ન જાવ, થોડું પણ ખંતથી કરો : જેમ ભૂમિમાંથી પાણી મેળવવા માટે સો-બસ્સો જગ્યાએ દશ, વીશ, દશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy