SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ૧ - આગમ જાણો ! એ જ્ઞાન પણ ભારરૂપ : અચરમાવર્તમાં આપણે દ્વાદશાંગીનો ય અભ્યાસ કર્યો. એકવાર નહિં અનંતીવાર આપણે અગિયાર અંગ ભણ્યા... ત્યારબાદ બારમું દૃષ્ટિવાદ આવે. તેમાં નવ-નવ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. આટલું ભણવા છતાં આપણે અજ્ઞાની જ રહ્યા. કોરા ધાક્કોર રહ્યા. ચૌદ પૂર્વધર મહર્ષિએ ખૂબ જ માર્મિક રીતે આપણી પરિસ્થિતિને ઓળખાવવા દૃષ્ટાંત આપ્યું છે. 152 'जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेन हीणो, नाणस्स भागी न हु सुग्गइए ।।' ‘ચંદનના ભારને ઉપાડનારો ગધેડો ચંદનના ભારતો ભાગી બન્યો પણ ચંદનને કે ચંદનથી મળતા સુખને ન પામી શક્યો. કારણ કે તે પામવાની તેનામાં લાયકાત ન હતી. તેમ આત્મપરિણતિરૂપ ચારિત્રને નહિ પામેલો જ્ઞાની પણ કેવળ શાબ્દિક જ્ઞાનનો જ સ્વામી બને છે, પરંતુ તે જ્ઞાનના ફળરૂપ સદ્ગતિનો સ્વામી બની શકતો નથી.' તેમ આપણે ગુણવૈભવ પામીને લાયકાત કેળવ્યા વિના આગમો વાંચીભણીને માત્ર મગજ ઉપર બોજો વધાર્યો, પણ એની આધ્યાત્મિક અસરો, આધ્યાત્મિક લાભો ન પામી શક્યા. આ સમજ્યા પછી હવે જો આપણે ગુણવૈભવ મેળવીને આ સૂયગડાંગ વાંચીએ કે સાંભળીએ તો જ લાભદાયી થાય. હજુ આપણા આત્મા ઉપર મિથ્યાત્વની છાયા ઘેરી છે, તેથી અવગુણ જેવા કઠવા જોઈએ તે કઠતા નથી અને ગુણો જે રીતે ગમવા જોઈએ તે રીતે ગમતા નથી. માટે જ અવગુણોને કાઢવાનો ને ગુણો મેળવવાનો પ્રયત્ન જેવો થવો જોઈએ, તેવો થતો નથી. હવે આપણે અવગુણો-દોષો કાઢીને ગુણો મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. Jain Education International આ મહાન આગમનું અધ્યયનાદિ કરવા જે પંદર ગુણોની સંપત્તિ પામવી જરૂરી છે, તે પૈકીના પ્રિયધર્મી-૧, દૃઢધર્મી-૨, સંવિજ્ઞ-૩, પાપભીરુ-૪, અશઠ-૫, ક્ષમાવાન-૬, દાંત, ઈન્દ્રિયોનું દમન કરનાર-૭ અને ગુપ્ત, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy