SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આગમ જાણો ! ખતમ કરવાનું કામ ત્રણલોકના નાથે જે કર્યું છે, તેનું બયાન અહિં આપવામાં આવ્યું છે. ૧ 150 અનાદિકાળથી મિથ્યામત અને મિથ્યામતની વાસનાઓ કબજો જમાવીને બેઠી છે. આપણે પણ અત્યાર સુધી જિનરાજનો માર્ગ જોયો, જાણ્યો કે માણ્યો નથી. કારણ કે મિથ્યાત્વના કાતિલ ઝેરનો પ્રભાવ આપણા આત્માના એક એક પ્રદેશ ઉપર ફેલાઈ ગયો છે. આપણા આત્મહિતનો ઘાત સૌથી વધારે જો કોઈએ કર્યો હોય તો તે આ મિથ્યાદર્શનોએ કર્યો છે. તેથી એક એક મિથ્યાદર્શનોને, તે તે મિથ્યાદર્શનના મિથ્યાસિદ્ધાંતો અને મિથ્યાઆચારોને ઓળખીને અને એની ઝેરીલી અસરોને બરાબર પીછાણીને એ મિથ્યામતો, મિથ્યામતોના એ મિથ્યા સિદ્ધાંતો અને મિથ્યાઆચારોથી, મિથ્યાઅસરોથી છૂટવું અનિવાર્ય છે. એ માટે તેની ચુંગાલને ઓળખવી અનિવાર્ય છે. એ મિથ્યાત્વની ચુંગાલને ઓળખી, તેમાંથી બહાર અવાય તો જ સમકિતને, સમ્યગ્દર્શનને સમજવું, ઓળખવું કે આરાધવું શક્ય બને. એ વિના સમકિતને-સમ્યગ્દર્શનને ઓળખવું કે, આરાધવું કે તે માટે ધર્મનગરીમાં પ્રવેશ કરવો એ સામાન્ય માણસનું ગજુ નથી. માત્ર સાંભળ્યું કામનું નહિં, સાંભળેલું હેયે સ્પર્શે એ જ કામનું : ધર્મનગરીમાં પ્રવેશ ક૨વા માટે ચોક્કસ ક્ષમતા જોઈએ - લાયકાત જોઈએ અને એ માટે અદ્ભુત કોટીની ગુણસમૃદ્ધિ જોઈએ. જેનામાં ગુણસમૃદ્ધિ હોય તે જ પ્રવેશ કરી શકે છે. જેની પાસે ગુણસમૃદ્ધિ નથી તે ધર્મનગરીમાં પ્રવેશ કરી શકતો નથી. આ ગુણસમૃદ્ધિ કેવી જોઈએ ? અહિંયા જે લખ્યું છે તે સાંભળતાં દ્વિધા થાય તેવું છે. આ સાંભળીને આ બધુ આપણામાં ક્યારે આવશે ? ક્યારે ધર્મનગરીમાં પહોંચાશે ? એમ વિચાર કરી હતાશ થવાની જરૂર નથી. એની સાથોસાથ, જેમ સાંભળીએ છીએ તેમ સાંભળીશું તોય બધું આવડી જશે, ખબર પડી જશે, એવા ભ્રમમાં રહેવાની જરૂર પણ નથી. અખાભગતે લખ્યું છે કે - ‘સુણી સુણીને ફુટ્યા કાન, તોય ન લાધ્યું બ્રહ્મજ્ઞાન.’ કેવળ સાંભળવાથી કલ્યાણ નથી થતું પણ સાંભળીને, સમજવાથી અને સમજીને જીવનમાં એ ગુણોને કેળવવાથી જ કલ્યાણ થાય છે. Jain Education International આ શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહેવાયેલી વિવિધ વાતો સાંભળીને થશે કે રજુઆત સારી છે, તર્કો સુંદર છે, ઉક્તિઓ પણ સારી છે, પણ જો એ તમારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy