SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામી મહારાજાએ પરમાત્માના પાવન મુખેથી ત્રિપદીનું શ્રવણ કરીને અન્ય દશ ગણધર ભગવંતોની જેમ દ્વાદશાંગીની રચના કરી. જેને પરમાત્મા મહાવીરદેવે પોતાની કેવલ્યદૃષ્ટિથી પ્રમાણિત કરી. જે દ્વાદશાંગી ઉપર પરમાત્માની નિર્મળ બનેલી કેવળજ્ઞાન અને કેવળદર્શનની દૃષ્ટિ પડી છે તે પૈકીના બીજા શ્રીસૂયગડાંગ સૂત્રના ભાવોને સમજાવવા માટે ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ “નિર્યુક્તિ ગ્રંથની રચના કરી, તો પ્રાચીન મહાપુરુષે “ચૂર્ણિ' ગ્રંથની રચના કરી અને પૂજ્યપાદ આચાર્ય શ્રી શીલાંકસૂરિ મહારાજાએ વૃત્તિની રચના કરી. મિથ્યામતોની ચુંગાલથી છોડાવે છે સમકિત : આ આગમ અતિ મહિમાવંત છે, મિથ્યાત્વનો નાશ કરવા સામર્થ્યશાળી છે. મિથ્યાત્વનાં પડળોને વિખેરવાનું આગવું સ્થાન ધરાવે છે. વિવિધ કુમતોને મૂળમાંથી ઉખેડી નાંખવાનું સામર્થ્ય ધરાવે છે. સમગ્ર સાધનાનો પાયો જો કોઈ હોય તો તે સમ્યકત્વ છે. તે સમ્યક્ત્વ પામવા માટે મિથ્યાત્વનાં મૂળિયાં બાળવાં, ઊખેડવાં, અતિઅનિવાર્ય છે. આ મિથ્યાત્વ મિથ્યામતો ઉપર નભે છે માટે મિથ્યામતનાં એક એક મૂળિયાંને ઓળખી-ઓળખાવીને એની ઝેરી અસરથી જગતના જીવોને અને સાધના જીવનમાં પ્રવેશ કરેલા સાધકોને પણ બચાવવા જરૂરી છે. આ મિથ્યામતોને ઓળખાવીને જગતના જીવોને અને સાધના જીવનમાં પ્રવેશ કરનાર સાધકોને મિથ્યાત્વથી બચાવવાનું, એના મિથ્યાત્વને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy