SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ - અયોગ્યતાને ખંખેર્યા વિના થોથવા ન પ્રગટે, 8 - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-પ્ર.૯, શુક્રવાર, તા. ૨-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • મિથ્યામતોની ચુંગાલથી છોડાવે છે સમકિત : • માત્ર સાંભળ્યું કામનું નહિં, સાંભળેલું હૈયે સ્પર્શે એ જ કામનું • એ જ્ઞાન પણ ભારરૂપ: • બધું કરવા દોડી ન જાવ, થોડું પણ ખંતથી કરો : • પૃચ્છના અને ટહુકાનો ભેદ સમજો ! • કેટલાનાં શરણ ગ્રહ્યાં. ન રહ્યું એક અરિહંતનું : • રાજકુળમાં પાંચ ધાવમાતા: જિનરાજકુળમાં આઠ પ્રવચનમાતા : વિષયઃ ભૂલ સુધારે તે ભગવાન બને. આજ સુધી આપણે મેરુ જેટલા ઓઘા લીધા તો આગમ શ્રવણ-અધ્યયન કેટલીવાર કર્યું હશે ? છતાં કલ્યાણ કેમ ન થયું ? આગમને મેળવવાની યોગ્યતા કેળવ્યા વિના જ એનું અધ્યયનાદિ કર્યું હતું માટે ! હવે એ ભૂલ કરવી નથી. મહામુશ્કેલીથી આગમ-વારસો મળ્યો છે, તેને આરાધી લેવો છે. એ માટે યોગ્ય બનવું છે. અયોગ્યતાને કાયા વિના યોગ્ય બનાતું નથી માટે પહેલાં અયોગ્યતાને ખંખેરીને કાઢવી છે. આ ઉદ્દેશથી કરાતા ગુણવર્ણનમાં અહીં - આ પ્રવચનમાં નવમાથી પંદરમા ગુણોનું વર્ણન કરાયું છે. એ ગુણોનાં નામ છે : ૯ - સ્થિરવ્રત, ૧૦ – જિતેન્દ્રિય, ૧૧ - ઋજુ, ૧૨ - અશઠ, ૧૩ - તુલા સમાન, ૧૪ - સમિત અને ૧૫ - સાધુ સંગતિરત. આ વર્ણન વાચ્યા બાદ એને મેળવવાનો પુરુષાર્થ શરૂ થાય તો આગમ-અધ્યયનની યોગ્યતા પણ ખીલવા લાગે. પ્રવચનનું પ્રતિબિંબ * સમગ્ર સાધનાનો પાયો જો કોઈ હોય તો તે સમ્યકત્વ છે. એ કેવળ સાંભળવાથી કલ્યાણ નથી થતું પણ સાંભળીને, સમજવાથી અને સમજીને જીવનમાં એ ગુણોને કેળવવાથી જ કલ્યાણ થાય છે. * જેનામાં સ્થિરતા નથી તે સાધનામાં આગળ વધી શકતો નથી. ઈન્દ્રિયદમન તત્કાળ પૂરતો લાભ આપી શકે પણ સ્થાયી લાભ પામવા માટે તો ઈન્દ્રિયજય કરવો જરૂરી બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy