SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ૧ – આગમ જાણો ! - 140 થતી નથી અને બાહ્યદૃષ્ટિએ જ્ઞાન પ્રાપ્ત થઈ પણ જાય તો પણ તે પરિણામ પણ પામતું નથી. એટલે કે આત્મવિકાસમાં સહાયક બની શકતું નથી. જે કોઈ સાધક માનકષાય ઉપર વિજય મેળવીને નમ્રતા ગુણને આત્મસાત્ કરે છે, તે જ્ઞાન અને જ્ઞાનીનો, શ્રત અને શ્રુતદાતાનો સમ્યગુ રીતે વિનય કરી શકે છે અને એ વિનય દ્વારા જ એ પોતાના આત્માને શ્રત માટે અધિકારી બનાવે છે. વિનય ગુણ પ્રગટ્યા વિના જ્ઞાનાચારની સમ્યગુ આરાધના થઈ શકતી નથી અને જ્ઞાનાચારની સમ્યમ્ આરાધના કર્યા વિના મોહનીય કર્મના ક્ષયોપશમ સાથેનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતો નથી અને આવો ક્ષયોપશમ સાધ્યા વિના જ્ઞાન ક્યારેય સમ્યક પ્રકારે પરિણામ પામતું નથી. આપણે જો આપણે આત્મકલ્યાણ કરવું હોય એ માટે સમ્યક કૃતની, આગમ બોધની પ્રાપ્તિ કરવી હોય તો તે માટે “વિનયગુણ આત્મસાત્ કરવો અત્યંત જરૂરી છે અને “વિનયગુણને આત્મસાત્ કરવા માટે અકડાઈ-અહંકાર દૂર કરવો ખાસ જરૂરી છે. જે કોઈ અહંકાર, અકડાઈ, અભિમાનને દૂર કરીને નમ્ર બને છે, તે જ આગમની વાચના વગેરે માટે અધિકારી બને છે અને એ રીતે અધિકારી બનીને જે આગમનું અધ્યયન વગેરે કરે છે, તેને જ આગમ વચનો પરિણામ પામે છે અને એ દ્વારા એ આત્મકલ્યાણના પંથે આગળ વધી શકે છે. એક અગત્યની સ્પષ્ટતા : અહીં એક વાત સ્પષ્ટ કરી લઉં કે, જે નિર્યુક્તિની ગાથાઓના આધારે બે દિવસથી પ્રવચન કરીએ છીએ તેમાં અને તે ગાથાઓ જે વિશેષાવશ્યક ભાષ્યમાં પણ ૩૪૧૦ અને ૩૪૧૧ના ક્રમે આવે છે, તેમાં આ પાંચમા ગુણ તરીકે અને બારમા ગુણ તરીકે બેય જગ્યાએ “ગઢા” એવો પાઠ છે. બેય જગ્યાએ એક સરખો પાઠ કેવી રીતે હોઈ શકે ? એ અંગે તપાસ કરતાં એ પાઠ જ્યાં જ્યાં મળ્યો ત્યાં દરેક સ્થળે ‘સો એવો જ પાઠ મળ્યો છે અને ટીકામાં પણ ક્યાંય આ અંગે સ્પષ્ટતા મારા જોવામાં આવી નથી. એટલે અહીં પાંચમા ગુણ તરીકે બહુ વિચાર કરતાં ‘થો’ એવો પાઠ હોવાની સંભાવના મને જણાઈ છે. તેથી અહીં અથદ્ધો-વિનીત એવો પાઠ સમજીને આપણે અહીં આ વર્ણન કર્યું છે અને “અસ” ગુણનું વર્ણન ૧૨મા ગુણ તરીકે આગળ કરશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy