SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ - ૭ ગુણસંપત્તિ વિના આગમનો ભાવ હાથ નહીં લાગે - 7 - 141 ભવિષ્યમાં આ અંગે કાંઈપણ વિશેષ સ્પષ્ટતા થશે તો તે મુજબ વિચારશું. આટલી સ્પષ્ટતા કર્યા બાદ હવે આપણે છઠ્ઠો “વંતો' ક્ષમાવાન ગુણની વિચારણા કરવી છે. – વંતો - ક્ષાંત-ક્ષમાવાન : જેણે ક્રોધ, માન, માયા અને લોભ - એમ ચારેય કષાયોને જીત્યા હોય, શાંત કર્યા હોય, શમાવ્યા હોય, તેને “ક્ષાંત” કહેવાય. ક્ષાંતને જ પ્રાકૃત ભાષામાં ખંતો કહેવાય છે. ક્ષાંત, ખંતો એટલે જ ક્ષમાવાનું. ખમી ખાય છે. ક્ષમા રાખે છે. જ્યાં સુધી કષાયોનું તોફાન ચાલુ હોય ત્યાં સુધી મન અશાંત હોય છે. અશાંત મનમાં આગમાદિ શાસ્ત્રોનું પ્રતિબિંબ ઝીલાતું નથી અને એનાથી થવો જોઈતો આત્મલાભ થતો નથી. એટલા જ માટે જેણે પણ આગમ-અધ્યયન કરવું હોય, તેણે પોતાના કષાયોને ઓળખીને કષાયોને જીતવા જરૂરી બને છે. કષાયો મનને સંક્ષુબ્ધ કર્યા વગર રહે નહિ. પાણી નિર્મળ ને શાંત હોય તો ચહેરો જેવો હોય તેવો દેખાય. પણ તેમાં કચરો પડ્યો હોય, પાણી હાલતું હોય કે ઉકળતું હોય તો ચહેરો ન દેખાય. તેમ ચિત્તવૃત્તિ શાંત હોય તો જ તેમાં શ્રુતનું, આત્માદિ તત્ત્વોનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાય. કષાયોના કારણે ચિત્તવૃત્તિ જો અશાંત હોય, ડહોળાયેલી કે સંક્ષુબ્ધ હોય તો આત્મદર્શન, તત્ત્વદર્શન ન થાય. આગમનું અધ્યયન પણ તેવા ચિત્તથી ન થાય. જેણે આત્મદર્શન કરવું હોય, આગમનું અધ્યયન કરવું હોય, તેણે ચિત્તને શાંત-નિર્મળ અને અસંક્ષુબ્ધ બનાવવું જોઈએ. કષાયો સત્તામાં ન હોય કે ઉદયમાં જ ન આવે એ બહુ ઉપરની કક્ષાની વાત છે. એ કક્ષામાં પહોંચ્યા પછી શાસ્ત્રશ્રવણ કે અધ્યયન કરવાનું રહેતું જ નથી. આ વાત તો તે કક્ષાની છે કે સત્તામાં રહેલા કષાયો જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ તે નિમ્રભાવ રહે, એ પોતાનો પ્રભાવ બતાવી ન શકે અને ચિત્તવૃત્તિને ડહોળી ન શકે કે કલુષિત ન કરી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવાનું છે. જે આવી સ્થિતિનું નિર્માણ કરી શકે, તે શાંત કહેવાય અને તે આગમ-અધ્યયનાદિ માટે અધિકારી બની શકે. એટલે આપણી અત્યારે જે વાત છે તે કષાયની અસરથી મુક્ત રહેવાની વાત છે. કષાય ઉદયમાં હોવા છતાં તે પોતાનું કામ ન કરી શકે તેવી સ્થિતિમાં રહેવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy