SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! મહારાજ શ્રેણિકે જેવી વાત રજૂ કરી તેવો જ ત્વરિત તેણે નકારાત્મક ઉત્તર આપી દીધો. એ જ બતાવે છે કે, સંસાર અને મોક્ષનું સ્વરૂપનું જ્ઞાન, સંસાર અને મોક્ષનાં સાધનોનો બોધ એનો બહુ સ્પષ્ટ હતો. એમાં એને કાંઈ વિચારવું પડે તેવું પણ ન હતું. આ સ્થિતિમાં તમે હો તો તમને શું થાય ? એ પણ વિચારજો ! તમને કદાચ મગધનું સામ્રાજ્ય દેખાતું હશે, જ્યારે પુણિયા શ્રાવકને તેનું પરિણામ નરક દેખાતી હતી. આટલો તમારી અને એમની દૃષ્ટિમાં ફરક છે. જ્યારે તમારી દ્રષ્ટિ પણ આવી નિર્મળ બને ત્યારે માનજો કે સંવેગભાવ પ્રગટ્યો અને તમે સંવિજ્ઞ બન્યા. જેનામાં સંવેગ નથી હોતો તે તત્કાળ દેખાતા લાલપીળામાં અંજાઈ જાય છે, પરંતુ જેને સંવેગ પેદા થયો હોય છે તેને લાલપીળાંનાં કાળાં પરિણામ દેખાય છે. જેને સંસારનાં લાલ-પીળાંનાં કાળાં પરિણામ દેખાય તે જ મુક્તિની વાસ્તવિક આરાધના-ઉપાસના કરી શકે. ૧૩૪ ૧ - સભા: સામાયિક કરનારને આટલા રૂપિયા આપવામાં આવશે તેમ કહીને કરાવે તો કરાય ? Jain Education International 134 સામાયિકની આરાધના કરે એ પુણ્યાત્માને સોનેથી મઢી દો એનો વાંધો નથી, પણ લાલચો આપીને રૂપિયા મેળવવા માટે સામાયિક વગેરે કરાવવું તે યોગ્ય નથી. અત્યાર સુધીની આટલી વિચારણા કર્યા પછી હવે આ ખુલાસો કરવાની જરૂ૨ ૨હે છે કે કોઈપણ આરાધક, સાધકની લક્ષ્યશુદ્ધિ ન ડહોળાય તેનું બરાબર ધ્યાન રાખવું જોઈએ ! આપણી મૂળ વાત ‘સંવિગ્ન'ની ચાલે છે, સંવિગ્ન કોને કહેવાય ? જેને સંસારનું એક પણ સુખ ન ગમે. પછી તે ભોગનું, સત્તાનું, સંપત્તિનું, માન કે મોભાનું સુખ હોય, યાવત્ ચક્રવર્તીનું સુખ હોય, દેવલોકના દેવનું સુખ હોય કે ઈન્દ્રનું સુખ હોય, કોઈ પણ સુખ હોય, ત્યાંનાં વાવડી-વિમાન, ઉદ્યાનો-દેવી ને અપ્સરાઓનાં સુખ હોય કે ઈન્દ્ર તરીકેની સત્તા, માન ને મોભાનાં સુખ હોય; તે જેને સુખરૂપ ન લાગે, પરંતુ દુઃખરૂપ જ લાગે, તેને સંવિજ્ઞ કહેવાય અને પછી ‘વંછે શિવસુખ એક’ અહીં ‘ઈચ્છે એવું ન લખ્યું,’ પણ ‘વંછે’ એમ લખ્યું. ઈચ્છા કરતાં વાંછા વધારે તીવ્ર હોય. આને કહેવાય સંવેગ. જેણે સૂયગડાંગ આગમ સૂત્ર સાંભળવું છે, પરિણમાવવું છે તેણે આ ત્રીજો ગુણ કેળવવો જરૂરી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy