SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૭: ગુણસંપત્તિવિના આગમનો ભાવ હાથનહીં લાગે અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંતશ્રી સુધર્માસ્વામીજી મહારાજા કે જેમણે પરમતારક પરમાત્માના શ્રીમુખે ત્રિપદી પામીને શેષ દશ ગણધર ભગવંતોની જેમ જે દ્વાદશાંગીની રચના કરી હતી, તે દ્વાદશાંગીને પરમાત્મા શ્રી મહાવીરદેવે પોતાની પાવન દૃષ્ટિથી પૂત કરી હતી. તેમાંના શ્રીસૂયગડાંગજી નામના બીજા અંગ આગમમાં પરમતારક પરમાત્માના ઉપદેશના અર્થને અનુસરીને સુધર્માસ્વામીજીએ જણાવ્યું કે “બંધનને જાણો અને બંધનને તોડો !' આ બંધન શું ? તેનું સ્વરૂપ શું ? તેને તોડવાની પ્રક્રિયા શું ? અને તે તોડવાથી શું લાભ થાય ? વગેરે બાબતો આ સમગ્ર આગમમાં વિસ્તાર અને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી છે. ૩ - સંવિઓ - સંવિજ્ઞ: ત્રીજા નંબરે : સંવિજ્ઞ : મોક્ષના તીવ્ર અભિલાષને સંવેગ કહેવાય છે. આવો સંવેગ જેનામાં હોય તેને સંવિજ્ઞ કહેવાય છે. જેને વ્યવહારભાષામાં “સંવેગી' પણ કહેવામાં આવે છે. જેને મોક્ષનો તીવ્ર અભિલાષ હોય તેને સંસાર ફાવે નહિ, સંસાર ગમે નહિ. એટલે એના હૈયામાં એક જ ભાવના હોય કે મારે - કામથી વહેલામાં વહેલી તકે છૂટવું છે. ભોગથી વહેલામાં વહેલી તકે છૂટવું છે. પૈસાથી વહેલામાં વહેલી તકે છૂટવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy