SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ www ૬ : વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6' સભા આજે તો આ બધા ગ્રંથોની નકલો બજારમાં જોઈએ તેટલી મળે છે. એ લાવીને જે કોઈ વાંચે છે, ભણે છે, શું તેમણે આ બધી ગુણસંપત્તિ પ્રાપ્ત કરી હશે ? એની તો આ બધી રામાયણ છે. પાત્રતા વિનાના, ગુણહીન, શ્રદ્ધાહીન લોકો પાત્રતા કેળવ્યા વિના બજારમાંથી કે જ્ઞાનભંડારોમાંથી ગ્રંથોને મેળવીને પોતાની જાતે વાંચે છે, તેમને આ આગમો પરિણામ તો પામતા જ નથી, પણ એના વાસ્તવિક અર્થો પણ સમજાતા નથી અને અનેક ખોટી ભ્રમણાઓમાં તેઓ અટવાય છે. ૯૯ સભા : પરિણામ પામતા નથી અને વાસ્તવિક અર્થો સમજાતા નથી, એમાં ફેર શું ? જાણેલા પ્રત્યે સાચી શ્રદ્ધા પ્રગટે અને યથાશક્ય રીતે જીવનમાં તે જીવાય તેને પરિણામ પામ્યા કહેવાય અને જે ગ્રંથ વાંચે તેના જે શબ્દો, વાક્યો, સંદર્ભો હોય તેનો જેવો હોય તેવો અર્થ સમજાય તો સાચા અર્થ સમજાયા એમ કહેવાય. 99 ગ્રંથોનો સાચો અર્થ સમજવા માટે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. એની સાચી શ્રદ્ધા પેદા થવા માટે દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ જોઈએ અને એનું યથાશક્ય સાચું આચરણ કરવા માટે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ જોઈએ. આવા ક્ષયોપશમ વિનાના જીવોને ન તો સાચું સમજાય કે ન તેમને સાચી શ્રદ્ધા પ્રગટે અને સાચી શ્રદ્ધા પ્રગટ્યા વિના એ વાત એમના આચારમાં આવે એ શક્ય જ નથી. આગમમાં વિસંવાદ નથી, છતાં કેમ દેખાય છે ? કોને દેખાય છે ? : સાચું ન સમજાવાના કારણે એને આગમમાં પગલે પગલે વિસંગતિ દેખાય અને વિસંગતિ દેખાવાના કારણે એને આગમો પ્રત્યે અશ્રદ્ધા થાય અને અશ્રદ્ધા થયા પછી એ અનેકની આગમ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તોડવાનું કારમું પાપ કરે. પછી એની આચરણામાં આગમનો માર્ગ આવે જ ક્યાંથી ? સભા : આગમમાં વિસંવાદ હોય ખરો ? અને ન હોય તો વાંચનારને એમાં વિસંવાદ શી રીતે દેખાય ? આગમમાં વિસંવાદ ક્યારેય હતો નહિ અને હશે પણ નહિ. પણ પાત્રતા વિનાના, ગુણસંપત્તિ વિનાના જીવોની દૃષ્ટિમાં જ વિસંવાદ હોય છે. તેથી તે જે કાંઈ વાંચે તેમાં તેને વિસંવાદ દેખાય છે, તે દોષ આગમોનો નથી, પણ એની દૃષ્ટિનો છે. એની અપાત્રતાનું એ પરિણામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy