SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Sio ૬ - વ્યવહાણમાં ઘન-સંપત્તિ જરૂછી, ઘર્મમાં ગુણસંપત્તિ જરૂરી. - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૭, બુધવાર, તા. ૩૧-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • અધિકારીને જ આગમ સ્પર્શે : • સમતાનું સુખ તો સાધુપણામાં જ: • અધ્યાત્મ જગતની મૂડી છે - ગુણસંપદા: • ધર્મરાગ અને બનાવટી ધર્મરાગનો તફાવત જાણો : • આગમમાં વિસંવાદ નથી, છતાં કેમ દેખાય છે. પ્રભુવીરે ધર્મલાભ કહેવડાવ્યો તે સુલસા કેવી ? છે ? કોને દેખાય છે ? • સમાધિને સમજી લો ! સમાધને સાધી લો! • અયોગ્યને જ્ઞાન ન અપાય, આપે તો.? • પ્રાણ જાય પણ નિયમ ન જાય : • ધર્મ શું? અધર્મ શું? ધર્મીને શું ગમે? - પ્રતિકૂળ ઉપસર્ગોમાં ટકવું અઘરું, તો અનુકૂળ શું ન ગમે ? ઉપસર્ગોમાં ટકવું અતિ-અઘરું ઃ • જેને જે ગમે તેને તેમાં મજા આવે : વિષય: અધ્યયન માટેનો અત્યંત મહત્વનો પાયો. લૌકિક કે લોકોત્તર દરેક કાર્ય માટે યોગ્યતા અનિવાર્ય માનેલી છે. અહીં આગમ શ્રવણનો અધિકાર હોઈ આગમ શ્રવણ માટે કયા શ્રોતા યોગ્ય છે અને કયા શ્રોતા અયોગ્ય છે, એ વાત જણાવવા માટે સૂયગડાંગ સૂત્રના ચૂર્ણિકાર મહર્ષિએ “વિશેષાવશ્યક ભાષ્ય' નામના આગમ ગ્રંથમાંથી બે ગાથા ટાંકી છે. એમાં યોગ્ય માટેના પંદર ગુણો બતાવવામાં આવ્યા છે. અયોગ્યને જ્ઞાન આપવાથી સ્વ-પરનો નાશ પણ થઈ શકે છે. પૂર્વાચાર્યોએ જ્ઞાનનો નાશ થવા દીધો પણ અયોગ્યને જ્ઞાન-દાન કરવાની પ્રવૃત્તિ આદરી નથી. આ ગુણવર્ણન ત્રણેક વ્યાખ્યાન સુધી વિસ્તાર પામેલું છે. એમાં આ વ્યાખ્યાનમાં ૧ - પ્રિયધર્મ, ૨ - ઢધર્મ, ૩ - સંવિગ્ન, ૪ -પાપભીરુ : આ ચાર ગુણોનું વર્ણન કરાયું છે. આગમશ્રવણની યોગ્યતા કેળવવા માટે આ વર્ણન મૃતોપાસકને જરૂર ઉપકારક બની રહેશે. પ્રવચનાનું પ્રતિબિંબ * સાધના જીવનમાં તો પુણ્યોદય કરતાં પણ વિશેષ મહત્ત્વ ગુણસંપત્તિનું છે. * અપાત્ર, કુપાત્રને જ્ઞાન આપવાથી તો જ્ઞાનનો દુરુપયોગ થાય. કોક વાર એથી એનો પોતાનો ય નાશ થઈ જાય તો વળી કોક વાર જ્ઞાનદાતા ગુરુનો પણ નાશ થાય એવું બની શકે છે. * જ્ઞાન સ્વભાવ છે તો અજ્ઞાન વિભાવ છે. દર્શન-શ્રદ્ધા સ્વભાવ છે તો અદર્શન અશ્રદ્ધા વિભાવ છે. ચારિત્ર સ્વભાવ છે તો અચારિત્ર વિભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy