SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ - ૧ - આગમ જાણો ! - 92 શાસ્ત્રનિરપેક્ષ બનીને ન જ કરાય અને તિથિદિનના સ્વરૂપમાં કે તેના નિર્ણયમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન ન કરાય. એ પરિવર્તન કરવાનો ગમે તેવા એક કે અનેક ગીતાર્થને કોઈ જ અધિકાર નથી. આમ છતાં તિથિનું પરિવર્તન કરવું તે સિદ્ધાંતનો ભંગ છે. તેથી મૃષાવાદરૂપ છે અને શાસ્ત્રવિરુદ્ધ છે. આજે તમે મને બહુ ફેરવ્યો અને ઘણો સમય લીધો, આમ છતાં તમારી જિજ્ઞાસા જોઈ વિસ્તારથી બધી વાતો સમજાવી છે. હવે તમે એમાં વધારે ઊંડો ઉતરી શાસ્ત્રીય સત્યોને બરાબર સમજી તેમાં સુનિચ્ચળ બનો તો જ તમે તમારું કલ્યાણ કરી શકશો. દરેક વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, ભાવની જેમ કાળનો પ્રભાવ માનવો જ પડશે. મોટા ભાગને સાચી સમજણનો અભાવ છે અને કેટલાકને જાણવા છતાં કરીએ છીએ એમાં બદલવું નથી' એવી એમની માનસિકતા છે. તેના કારણે જ સત્યનો સ્વીકાર થતો નથી. સંઘની શાંતિ માટે શું કરાય? સભા: સાહેબજી, આ બધું જ બરાબર પણ સકળ શ્રીસંઘમાં શાંતિ પ્રવર્તે, સુખાકારી પ્રવર્તે તે માટે કાંઈક ફેરફાર કરવો પડે તો કરાય કે નહિ ? સકળ સંઘને સુખાકારી ક્યારે થાય ? ભગવાનની આજ્ઞા મુજબ થાય તો કે મરજી મુજબ થાય તો ? ધર્મ આજ્ઞામાં છે. પ્રાણ થમો'- સૂત્ર તો તમે સાંભળ્યું છે ને ? એ જ રીતે જે સંઘની સુખાકારીની તમે વાત કરો છો તો સંઘ કોને કહેવાય? એ પણ સમજવું તો પડશે ને ? એ માટે કહ્યું કે “માનુત્તો સંધો !' આજ્ઞાથી યુક્ત હોય તે સંઘ. તો સંઘની સુખાકારી માટે આપણે સૌએ આજ્ઞા સાપેક્ષ બનવું જ પડશે ને ? સભા સાહેબ, છેલ્લો પ્રશ્ન કરી લઉં ? પંચાંગ કોને કહેવાય ? તિથિ-નક્ષત્ર-કરણ-યોગ અને વાર. આ પાંચ અંગ જેમાં આવે તેને પંચાંગ કહેવાય. કોઈ પણ શુભ કાર્યમાં કાળબળ જોવું જોઈએ, એમ આગમ કહે છે. વાર તો તમે સમજો જ છો. નક્ષત્ર-કરણ અને યોગ જ્યોતિષી જે કહે તે તમે માની લો છો. જે ગડબડ થાય છે તે તિથિમાં જ થાય છે. તમારી તપ આદિ આરાધના કરવા માટે. કલ્યાણકોનો નિર્ણય કરવા માટે અને પચ્ચખ્ખાણાદિ કરવા માટે તિથિનું જ્ઞાન જરૂરી છે. એટલું સમજાવવા પૂરતો જ આ મુદ્દો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy