SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ – ૫ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 – 89 શ્રી કાલિકસૂરિજીનો ફેરફાર શાસ્ત્રીય હતો, મરજી મુજબનો નહિ? પૂજ્યપાદ આચાર્યદેવશ્રી કાલિકસૂરિજી મહારાજ યુગપ્રધાન, નવપૂર્વધર, આગમ વ્યવહારી, મહર્ષિ હતા, પરમ ગીતાર્થ હતા. આજે કેટલાક કહે છે, ગીતાર્થોને ફેરફાર કરવાનો અધિકાર છે. અરે, ગીતાર્થ તો જવા દો પણ યુગપ્રધાનને પણ પોતાની મરજી મુજબ ફેરફાર કરવાનો અધિકાર નથી અને એવો અધિકાર એ ઈચ્છતા પણ નથી. આ તો જેને કોઈ અધિકાર નથી એ પોતાનો અધિકાર હોવાનો દાવો કરીને મરજી મુજબ ફેરફારો કરવા ઈચ્છે છે એની જ આ બધી તકલીફ છે. પૂજ્ય આચાર્ય શ્રી કાલિકસૂરિજી મહારાજે જે સંવત્સરી મહાપર્વનું પાંચમમાંથી બદલી ચોથમાં પ્રવર્તન કર્યું તે શાસ્ત્ર વચન પ્રમાણે કર્યું છે. દીપોત્સવકલ્પ'માં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રભુશ્રી મહાવીરે પોતાના શાસનનું ભાવિ વર્ણવતાં જે વચનો ઉચ્ચાર્યા હતા તેનો સંગ્રહ કરતાં જણાવ્યું છે કે -- 'त्रिनवत्यधिकैर्वर्ष-शतैर्नवमितैस्तथा । आचार्याः कालिकाह्वाना, भविष्यन्तीन्द्रवन्दिताः ।।१०३।। ते च पर्युषणापर्व, चतुर्थ्यां पञ्चमीदिनात् । कारणादानयिष्यन्ति, सर्वाचार्यानुमाननात् ।।१०४।।' મારા નિર્વાણના ૯૯૩ વર્ષ બાદ ઈન્દ્રથી વંદાયેલા કાલિક નામના આચાર્ય થશે અને તેઓ કારણથી સર્વ આચાર્યોના અનુમાન (સ્વીકાર)પૂર્વક પર્યુષણા પર્વ (સંવત્સરી)ને પાંચમમાંથી ચોથમાં લાવશે.” રાજાની માંગણી પાંચમના બદલે છઠ્ઠના દિવસે સંવત્સરી કરવાની હતી. આચાર્ય ભગવંતે તે મુજબ કર્યું હોત તો બીજા વર્ષથી સંવત્સરી પાંચમની જ રહેતા. આમ છતાં તેમણે સંવત્સરી પર્વને છઠ્ઠના દિવસે ન કરતાં ચોથમાં કર્યું. આમ કરવાના કારણે સંવત્સરી પર્વ કાયમ માટે પાંચમના બદલે ચોથમાં આવ્યું. ત્રણ ચોમાસીની આરાધના પૂનમના બદલે ચૌદશમાં આવી. એને કારણે ત્રણ પખી પ્રતિક્રમણ ચોમાસી પ્રતિક્રમણમાં સમાયાં. આમ છતાં તેમણે ચોથને પાંચમ માનીને આગલા દિવસે પણ સંવત્સરી ન કરી. કારણ કે તેમ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy