SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સ્વરૂપને ક્યારેય સામાચારી ન કહેવાય, એના જ્ઞાનને સામાચારીનું જ્ઞાન ન કહેવાય અને એના નિર્ણયને સામાચારીનો નિર્ણય ન કહેવાય. એટલે સ્પષ્ટ સમજો કે તિથિ એ કાળનો એક વિભાગ હોઈ, કાળ જેમ સિદ્ધાંત છે તેમ તિથિ પણ સિદ્ધાંત જ છે, તે સામાચારી નથી, પરંતુ તે તિથિએ જે આરાધના-તપ-જપ અનુષ્ઠાન કરવાનું છે તે સામાચારી છે. બધી સામાચારી પરિવર્તનશીલ ન હોય : ૮૬ આ બધી સામાચા૨ી પરિવર્તનશીલ જ હોય, એવો પણ નિયમ નથી. કેટલીક સામાચારી પરિવર્તનશીલ હોય છે, તો કેટલીક સામાચારી અપરિવર્તનશીલ હોય છે. જેમ કે જિનકલ્પ અને સ્થવિકલ્પ એ સામાચારીઓ છે. આમ છતાં આજના કાળમાં સ્થવિરકલ્પને બદલીને જિનકલ્પ ચાલુ ન જ કરી શકાય. 86 એ જ રીતે તે તે તિથિએ કરવાની આરાધના રૂપ સામાચારીમાં પણ એવા પરિવર્તન-અપરિવર્તનના ભેદ પડતા હોય છે. તે તે તિથિમાં પણ જે આરાધના કરવાની છે તેમાંની કેટલીક આરાધના પરિવર્તનશીલ છે અને કેટલીક અપરિવર્તનશીલ છે. જેમ કે પ્રતિક્રમણ એ પણ સામાચારીરૂપ આરાધના છે અને ઉપવાસ, છઠ્ઠ -અઠ્ઠમ કરવો, પૌષધ કરવો તે પણ આરાધના છે. તેમાંથી તે તે નિમિત્તે કરાતો પૌષધ કે ઉપવાસ આગળ-પાછળ કરી શકાય પણ દેવવંદન કે પ્રતિક્રમણ આગળ પાછળ ન કરાય ! તે દિવસે જે કરવાના હોય તે દિવસે જ કરાય. સંસારી કોઈ પણ કારણ આવી ગયું. તે દિવસે ઉપવાસ કરી શકાય તેમ ન હોય તો આગળ-પાછળ કરી શકાય. જ્યારે પ્રતિક્રમણમાં ‘ઈચ્છકારી ભગવન્ પસાય કરી પક્ષી તપ પ્રસાદ કરશોજી' બોલો; ત્યારે ગુરુ કહે કે ‘એક ઉપવાસ - બે આયંબિલ' વગેરે બોલે તેમાં તમે શું બોલો છો ? ‘પઈક્રિઓ’ કે ‘તહત્તિ' બોલો છો ને ? કારણ કે તે તપ તે દિવસે કે તેની પહેલાં થઈ ગયો હોય તો ‘પઈઓિ' બોલવાનું આવ્યું ? એટલે આગળ થઈ શકે ? અને ન થયો હોય તો ‘તત્તિ’ બોલવાનું. એટલે પાછળ કરવાનો આવ્યો ? જ્યારે પ્રતિક્રમણમાં કોઈ ફેરફાર નહિં તે તો પક્ષીના દિવસે જ કરવું પડે. આ વાત હું મારા ઘરની કહેતો નથી. ‘પ્રવચન સારોદ્ધાર’ આદિ ગ્રંથોમાં કહેલી આ વાત છે. જુઓ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy