SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ – ૫ આરાધનામાં તિથિનું મહત્વ - 5 – 83 સ્થાપના જ ન કરી હોત તો ૩૬૩ પાખંડીઓ પાકત જ નહિ. સૂર્ય ઉગે છે તો પણ ઘણી ભાંજગડ થાય છે. તો સૂર્ય ઉગવું કે ન ઉગવું ? આ બધી રજુઆતમાં કોઈને હૈયામાં સંક્લેશ-અભાવ-અરુચિ ઉપજાવે તેવું ન હોવું જોઈએ. ઉપદેશકના હૈયામાં કોઈના પણ પ્રત્યે રાગ-દ્વેષ ન જોઈએ પણ કહેવાનું તો પરમાત્માનું કહેલું જ. તેનું પરિણામ સારું જ આવે. કેટલાંય આત્માઓ સત્ય પામીને આરાધે છે. બાકી સંખ્યા જોવા બેસીએ તો ભગવાનના કાળમાં પણ ભગવાનના કેટલા હતા ? અને બીજાના કેટલા હતા ? કોઈ કાળે બધા બદલાઈ જાય એમ ન બને. જે લોકોમાં સત્યનું અર્થીપણું હોય, જે સત્યના શોધક હોય, સત્યના ગ્રાહક હોય, સત્ય જ જેને પામવું હોય, આરાધવું હોય, તેના માટે આ બધી વાતો છે. સમતાથી સત્ય પ્રરૂપે તેને ક્યારેય પાપ ન લાગે : સભા: તમે જે બોલો તેનાથી કોઈને દ્વેષ થાય તો તેનું પાપ તમને લાગે કે નહિ ? એનો ઉત્તર હું “હા” અને “ના” એમ બે રીતે આપીશ. જો હું કષાયની પરિણતિથી બોલું, અવિવેકપૂર્વક બોલું, અસૌજન્યથી બોલું, સ્વાર્થવૃત્તિથી બોલું કે જિનાજ્ઞાન-શાસ્ત્રવચનને બાજુમાં મૂકીને બોલું તો મને પાપ લાગવાનું. કદાચ હું દેખીતો કષાય ન કરું પણ અજ્ઞાનતાથી ધર્મશાસ્ત્રોથી વિપરીત બોલું તો મને જરૂર પાપ લાગવાનું, પણ વિવેકપૂર્વક બોલું, સૌજન્યપૂર્ણ બોલું, શાંતિથી બોલું, નિઃસ્વાર્થભાવે બોલું, ભગવાનની આજ્ઞા પ્રમાણે બોલું, તેમ છતાં કોઈને પોતાની ખોટી વાતો ઉઘાડી પડવાના કારણે દ્વેષ થાય તો તેનું પાપ મને જરાય ન લાગે. પૂર્વધર મહર્ષિ પૂ. વાચકવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થ સૂત્રની આદ્યકારિકાના ૨૯મા શ્લોકમાં આ વાત જણાવી છે. 'न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ।।२९।।' ‘હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને ધર્મલાભ થાય જ એવો એકાંત નિયમ નથી, પરંતુ અનુગ્રહબુદ્ધિથી હિતકારી બોલનારને તો એકાંતે ધર્મલાભ થાય જ છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy