________________
K૨
પ્રબંધ ચિંતામણી
ક ચામુંડ ૯૧૩ થી ૪૪ ૩૧ ૭ ઘાઘડ ૯૪૪ થી ૯૭૧ ૨ ૭ ૮ ભૂવડ
૯૭૧ થી ૯૯૮ ર૭ આ વંશાવળી વિષે વિશેષ ઉહાપોહ આ પરિશિષ્ટને ગ્ય નથી.
પ ( મૂળરાજ પ્રબંધ) ૨૨ ૬૮માતા સેવવા યોગ્ય નથી, પર્વતો પાંખ વગરના છે, કાચબાને જળ સાથે પ્રીતિ છે. આ સર્પને રાજા બે જીભવાળે છે, એ પ્રમાણે પૃથ્વીને ધારણ કરવા માટે યોગ્ય પાત્રને વિચાર કરતા બ્રહ્માની સંધ્યાની અંજલી (સુલુક) માંથી તરવાર ફેરવતે કોઈ વીર ઉભો થયો.૮
૨૩ હવે પહેલાં કહેલા ભૂયડરાજાના વંશમાં મુંજાલદેવના પુત્ર - ૬૮ મૂળમાં માતા શબ્દ છે. તેને અર્થ હાથીએ, તથા ચાંડાલ થાય છે, ચાંડાલ સેવવા યોષ નથી, પર્વતને પહેલાં પાંખ હતી પણ પાછળથી કપાઈ ગઈ એવી પરાણિક માન્યતા છે. મૂળમાં પાંખ માટે પક્ષ શબ્દ છે, તેને બીજો અર્થ સહાયક પણ થાય છે. મૂળમાં જડ શબ્દ છે. ડ અને લ બેને એક ગણને જડ એટલે અચેતન તથા પાણી, સર્પ બે જીભવાળો હોવાની પ્રસિદ્ધિ છે, બે જીભને બીજો અર્થ એક વખત એક વાત અને બીજી વખત બીજી બોલે છે.
૬૯ પૃથ્વીને ભાર દિગ્ગજો, પર્વત, કૂર્મરૂપે રહેલ વિષ્ણુ, સર્ષરૂપશેષ, વગેરે ધારણ કરે છે એવી પિરાણિક માન્યતા છે. હવે આ લેકમાં ભલેષથી દિગ્ગજ વગેરે પૃથ્વીનો ભાર ઉપાડનાર પૈરાણિક પાત્રો અયોગ્ય લાગવાથી બ્રહ્માએ પિતાની અંજલીમાંથી નવા ચાલુક્ય વીરને ઉત્પન્ન કર્યો એ રીતે ચાલુક્ય કુળની પ્રશંસા કરી છે. ચાલુકય કુળને મૂળ પુરુષ બ્રહ્માના સાંધ્ય ચુલુક (અંજલી ) માંથી ઉત્પન્ન થયાની આ કલ્પના બિહણે (વિ.નું ૧૧ મું શતક) વિક્રમાંક દેવ ચરિતમાં આપી છે. ( જુઓ મ. ૧ . ૩૩ થી ૫૭) શ્રીપાલે સં. ૧૨૦૮ ની વડનગર પ્રાકાર પ્રશરિતમાં બિલ્હણને અનુસરી ઉતારી છે. (. ૨ જાઓ પ્રાચીન લેખમાળા ભા. ૧ લેખાંક ૪૫) અને વસંત વિલાસમાં અને વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિમાં પણ એજ વાત ઉતારી છે. હેમચંદ્ર દ્વયાશ્રયમાં ચૌલુક્ય મૂળ પુરુષની ઉત્પત્તિ નથી આપી પણ તેના ટીકાકાર અભયતિલકગણિ (સં. ૧૩૧૦ એ ટીકામાં ઉપરને ક જ ઉતાર્યો છે એ જોતાં ગોવ્યા મોત - વગેરે શ્લોક વિક્રમના ૧૩ મા ચિદમાં શતકમાં પ્રસિદ્ધ હોવો જોઈએસં. ૧૨૦૮ પછી કદાચ કોઈ પ્રશસ્તિ માટે રચાયો હશે.
૭૦ આ ભૂયડ તે કાન્ય કુજને જયશિખરીને હરાવનાર ભયદેવ કે ભયગડદેવ. એમ પ્ર-ચિં–વગેરે પ્રબંધની કહેવાની મતલબ છે. પ્ર-ચિ. માં ભયડના વંશમાં મૂળરાજને દાદ મુંજાલ થયે એટલું જ કહ્યું છે. પણ રત્નમાળમાં તથા જિનમંડન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org